22/05/2020
વ્હાલા ખેડૂત ભાઈઓ....
આજે પાલભાઈ આંબલિયા, ગિરધરભાઈ વાઘેલા ચેતન ગઢિયા દેવુભાઈ ગઢવી, પ્રવીણ પટોડીયાની કાંઈ કારણ વગર... માત્ર ખેડૂતોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવે છે એટલે જ ધરપકડ કરવામાં આવી છે....??? શું એ વ્યાજબી છે...?? તમે પોતે જ વિચારો..... છેલ્લા 2 - 4 વર્ષથી ખેડૂતો માટે લડવા વાળા, ખેડૂતોને તેના હક્ક અને અધિકાર માટે જાગૃત કરવા વાળા મુઠ્ઠીભર ખેડૂત આગેવાનો લડતા થયા છે તેમાં પાલભાઈ આંબલિયાએ ખોટી રિતે થયેલી જમીન માપણી સામે સતત લડત કરીને સરકારને બેકફૂટ પર જવું પડ્યું અને સરકારને પ્રક્રિયા રોકવાની ફરજ પડી
એવી જ રીતે અછતગ્રસ્ત વર્ષ માટેની કાયદાકીય અને આંદોલનાત્મક લડત કરી ને ગુજરાતના 96 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની સરકારને ફરજ પડી
આ વર્ષે અતિવૃષ્ટિ સમયે આપણે સૌએ જોયું કે પાકવીમા યોજનાની ગાઈડ લાઇન તેના નિયમોને આધાર બનાવી ગુજરાતના અનેક જિલ્લા તાલુકામાં સતત લડત કરી સરકારે 3750 કરોડ રૂપિયાનું પેકેજ આપવાની સરકારને ફરજ પડી
ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ થઈ એ પહેલાંથી પાલભાઇ સતત ખેડૂતોને જાગૃત કરતા હતા કે બરદાન નિયમો મુજબ જે લંબાઈ પહોળાઇ અને વજન ના હોવા જોઈએ તે નથી દરેક ખેડૂત પહેલા બારદાનનો વજન કરે આવા તો કેટલાયે સરકારના કૌભાંડો જેવા કે ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ, મગફળી કૌભાંડ, બરદાન કૌભાંડ, નકલી દવા અને બિયારણ કૌભાંડ પાલભાઈએ પકડી અને ઉજાગર કર્યા છે ત્યારે શુ સરકારને આ માણસ કણાની જેમ ખૂંચતો ન હોય...???? સરકાર પણ એમના મો બંધ કરાવવા પ્રયત્ન નહિ કરતી હોય જ્યારે પાલભાઈ આંબલિયા સરાકરની સામ દામ, ભેદ ની નીતિરિતિ નો ભોગ ન બન્યા કે ન તો સરાકર એને એક ઇંચ પણ નમાવી કે ઝુકાવી શકી ત્યારે આજે સરકરે છેલો પ્રયત્ન અમલ કર્યો છે પાલભાઈ આંબલિયા સહિત ગિરધરભાઈ વાઘેલા ચેતન ગઢિયા, દેવુભાઈ ગઢવી, પ્રવીણ પટોડીયાની પહેલા 188 કલમ હેઠળ ધરપકડ કરવી, એમને આ ગુના બદલ જામીન આપી દેવા અને મુક્ત કર્યા બાદ એક કલાક પછી પછી 151 ની કલમ મુજબ ફરીથી ધરપકડ કરી જેલમાં નાખી દેવા એ કેટલું વ્યાજબી....???
હું માનું છું સરકાર દ્વારા કરવામાં આવેલી આ કુચેષ્ઠાના જવાબ ગુજરાતના એક એક ખેડૂતોએ અને ખેડૂત સંગઠનો એ એકીસુરે આપવો જોઈએ કેમ કે આજે બળ પ્રયોગ કરી આ પાંચ ખેડૂત આગેવાનોનો અવાજ દબાવાનો પ્રયત્ન થયો છે આવતી કાલે આપણો વારો નહિ આવે એની કોઈ ખાતરી આપશે ખરું.....??..
માટે કહું છું કે સોસીયલ મીડિયામાં તમારા વિડિઓ બનાવો, તમારા શબ્દોમાં મેસેજ બનાવો અને ગુજરાતનો એક એક ખેડૂતનો દીકરો આ પાંચેય ખેડૂત આગેવાનોના સમર્થન માં લડત કરવા મેદાને પડે
જો આજે આપણે ઘરે બેસી રહીશું તો આપણું ભવિષ્ય આપણને માફ નહિ કરે એવું સ્પષ્ટ માનું છું....
આપણે કાયદાનુ ક્યાંય ઉલ્લંઘન ના થાય એ રીતે ગાંઘી ચીઘ્યાં માર્ગે એ રીતે ઘરપકડ થયેલા આ ખેડુત આગેવાનો નાં સમર્થન માં લડત કરવાની છે.
જય જવાન જય કિસાન