Shravan Vidhyabhavan, Ankleshwar

Shravan Vidhyabhavan, Ankleshwar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shravan Vidhyabhavan, Ankleshwar, Education, SHRAVAN VIDYABHAVAN, Ankleshwar.

શ્રવણ વિદ્યાભવન, અંકલેશ્વર 🤹‍♂️ મોજ - મસ્તી - મેમરીઝ 🤹‍♀️  🌈 સમર કેમ્પનો રંગીન રસધાર દ્વિતીય અને તૃતીય દિવસ 🌈 🥳🎈🥳🎈🥳🎈🥳🎈🥳 ...
25/04/2026

શ્રવણ વિદ્યાભવન, અંકલેશ્વર

🤹‍♂️ મોજ - મસ્તી - મેમરીઝ 🤹‍♀️
🌈 સમર કેમ્પનો રંગીન રસધાર દ્વિતીય અને તૃતીય દિવસ 🌈
🥳🎈🥳🎈🥳🎈🥳🎈🥳

શાળાના પ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી તથા આચાર્યા શ્રીમતી દિપીકાબેન મોદીના સ્નેહમય માર્ગદર્શન હેઠળ તેમજ પ્રાથમિક વિભાગીય વડા શ્રીમતી જિજ્ઞાસાબેન શુક્લ તથા સમર કેમ્પના કન્વીનર્સશ્રીઓના અથાગ પ્રયત્નો થકી શ્રવણ વિદ્યાભવનમાં સમર કેમ્પનો દ્વિતીય અને તૃતીય દિવસ ઉત્સાહ અને ઉલ્લાસના રંગોથી ઝળહળી ઉઠ્યો.
પ્રાર્થનાના પવિત્ર સ્વરોથી બીજા દિવસની શુભ શરૂઆત થતાં જ સમગ્ર પરિસર સકારાત્મક ઊર્જાથી ગુંજી ઉઠ્યું. સંગીત શિક્ષિકા મીનળબેન દ્વારા રમાડવામાં આવેલી મેમરી ગેમે વિદ્યાર્થીઓની બુદ્ધિશક્તિને ચમકાવી અને આનંદના હાસ્યથી વાતાવરણ મહેકી ઉઠ્યું. ત્યારબાદ સ્વાદિષ્ટ પાણીપુરીનો રસાસ્વાદ માણતાં બાળકોના ચહેરા પર આનંદના ઝરણા ઝળહળી ઉઠ્યા.
વડોદરાથી પધારેલા મહેમાનશ્રી જગદીશભાઈ તથા વિરાજભાઈએ પપેટ શોના જાદૂઈ પ્રદર્શનથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. પી.ઈ. શિક્ષકશ્રી યોગેન્દ્રભાઈ ખરચિયાના માર્ગદર્શન હેઠળ રમાડવામાં આવેલી રસ્સાખેંચ જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લઈ મિત્રતા અને ટીમ સ્પિરિટનો અનોખો પરિચય આપ્યો. નાનકડાં કલાકારોના મનમોહક નૃત્ય અને ગરબાના તાલે ઝૂમતા પગલાંએ સાંજને રંગીન બનાવી દીધી.
રાત્રિના ભોજનમાં પાઉંભાજી, પુલાવ અને છાશની સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ઠંડા ઠાર આઈસ્ક્રીમનો આનંદ માણતા વિદ્યાર્થીઓના હર્ષોલ્લાસે આકાશને પણ સ્પર્શ્યો. બીજા દિવસે શાળામાં જ રાત્રિ રોકાણનું આયોજન કરવામાં આવ્યું. રાત્રિ રોકાણનો અનોખો અનુભવ તેમની યાદોમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો.
પછીના પ્રભાતે પક્ષીઓના મધુર કલરવ સાથે નવા દિવસનું સ્વાગત થયું. તાજગીભર્યા યોગાસનો દ્વારા શરીર અને મનને પ્રફુલ્લિત કરવામાં આવ્યા. હળવા નાસ્તા બાદ રેઈન ડાન્સની મસ્તીભરી છાંટામાં બાળકો આનંદના સાગરમાં તરબોળ થઈ ગયા. ઈડલી સંભાર મનભરી જમી સૌએ વિદાય લીધી.આ રીતે સમર કેમ્પના દ્વિતીય અને તૃતીય દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ મોજ, મસ્તી અને મીઠી યાદોની અમૂલ્ય પોટલી સંગ્રહ કરી. આ પળો તેમના જીવનમાં હંમેશા સુગંધિત સ્મૃતિ બની રહેશે. 🌸✨

શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર 🌹✨સમર કેમ્પ 2026✨🌹   🦚મોજ-મસ્તી-મેમરીઝ🦚           🍁પ્રથમ દિવસ 🍁શ્રવણ વિદ્યાભવન શાળામાં  આજે તા...
23/04/2026

શ્રવણ વિદ્યાભવન
અંકલેશ્વર

🌹✨સમર કેમ્પ 2026✨🌹
🦚મોજ-મસ્તી-મેમરીઝ🦚
🍁પ્રથમ દિવસ 🍁

શ્રવણ વિદ્યાભવન શાળામાં આજે તા 23/4/26 ને ગુરુવારના શુભ દિવસથી સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી. આ કેમ્પનું આયોજન શાળાના પ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.સમર કેમ્પના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને સંગીતના તાલે, ડોરેમોન અને ડક 🦆 જેવા કાર્ટૂન કેરેક્ટર સાથે ઉત્સાહભેર મીઠો આવકાર આપવામાં આવ્યો.
આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે પ્રખ્યાત ઝુમ્બા ડાન્સ ટ્રેનર જીન સુરતા પંડ્યા હાજર રહ્યા અને બાળકો તથા શિક્ષકમિત્રોને ઝુમ્બા ડાન્સ કરાવી વાતાવરણ પ્રફુલ્લિત કર્યું.શાળાના આચાર્યા શ્રીમતી દિપીકાબેન મોદીએ પણ વિદ્યાર્થીઓને સંબોધી અને બધા ભેગા મળી ખૂબ મજા કરીશું તેમ જણાવી દરેક વિદ્યાર્થીઓને આવકાર્યા.સમર કેમ્પમાં ગરમીની ઋતુમાં સરસ મજાના ઠંડા શેરડીના રસની મજા દરેક વિદ્યાર્થીઓએ માણી,વિદ્યાર્થીઓને અવનવી ક્રાફટની પ્રવૃત્તિ કરાવવામાં આવી સાથે બાળકોને પ્રીતિ ભોજન (કેરીનો રસ, પૂરી,શાક, ઈદડા) કરાવ્યું. સમર કેમ્પના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ ખૂબ મજા કરી.

શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર આંગણવાડી કાર્યકર સન્માન સમારોહઆંગણવાડી એ ગ્રામીણ અને શહેરી સ્તરે બાળકો અને માતાઓના કલ્યાણ માટે...
21/04/2026

શ્રવણ વિદ્યાભવન
અંકલેશ્વર

આંગણવાડી કાર્યકર સન્માન સમારોહ

આંગણવાડી એ ગ્રામીણ અને શહેરી સ્તરે બાળકો અને માતાઓના કલ્યાણ માટે કામ કરતું ખૂબજ મહત્વનું કેન્દ્ર છે. આંગણવાડી કાર્યકર એક એવો સેતુ છે જે સરકારની આરોગ્ય અને શિક્ષણની યોજનાઓને નાના માણસ સુધી પહોંચાડે છે. ગ્રામીણ અને પછાત વિસ્તારો માટે મહત્વપૂર્ણ કામગીરી કરી બાળકોમાં પાયાની આદતો, શિસ્ત અને સામાજિક ગુણોનો વિકાસ કરવો તેમજ માતાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનુ કાર્ય કરે છે. કાર્યકરોના શ્રેષ્ઠ અને કપરા કાર્યને બિરદાવવા અંગે શાળાના પ્રમુખ શ્રી કિશોરભાઈ સુરતીને વિચાર આવ્યો જેને ઓપ આપી આ કાર્યકરોના સન્માન કરવાનો એક અનોખો પ્રયાસ કર્યો. શાળાના પ્રમુખશ્રી તેમજ આચાર્યશ્રી એ કાર્યકરોની કાર્યશૈલીને બિરદાવીને શુભેચ્છા પાઠવી તેમનું સન્માન કર્યું અને ગિફ્ટ આપી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સર્વ આંગણવાડી બહેનો ખૂબ જ લાગણીશીલ બની ગયા હતા અને ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

*શ્રવણ વિદ્યાભવન,અંકલેશ્વર* *ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીશ્રીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન* શ્રવણ ...
19/04/2026

*શ્રવણ વિદ્યાભવન,અંકલેશ્વર*

*ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીશ્રીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન*

શ્રવણ વિદ્યાભવન, અંકલેશ્વરમાં તા.19 એપ્રિલ 2026ને રવિવારના રોજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા-પિતા માટે શાળામાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ માર્ગદર્શન સેમિનારમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી તરીકે ડૉ.કિરણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને જે સપના બતાવે,જે મનને મજબૂત બનાવે,જે આત્મવિશ્વાસ જગાડે,જે અનુશાસન શીખવે તે શિક્ષણ તે વિશે સમજ આપી હતી સાથેજ અરુણિમા સિંહા, શીતલ દેવી, અબ્દુલ કલામ, તથા થોમસ આલ્વા એડિસન જેવા સફળ મહાનુભાવોના ઉદાહરણ દ્વારા કારકિર્દીને અનુલક્ષીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખશ્રી કિશોર ભાઈ સુરતી, મંત્રીશ્રી કિરણભાઈ મોદી,આચાર્યા શ્રીમતી દિપીકાબેન મોદી તેમજ પ્રાથમિક વિભાગીય વડા શ્રીમતી જિજ્ઞાસાબેન શુક્લ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓને બળ અને હિંમત પૂરા પાડ્યા હતા.આ પ્રસંગે શાળાના પ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી સરે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતું ઉદ્દબોધન કર્યું હતું તેમજ આચાર્યા શ્રીમતી દિપીકાબેન મોદીએ પણ કેટલાક અભ્યાસલક્ષી સૂચન કરી વિદ્યાર્થીઓને રાહ ચીંધી હતી.શાળાના શિક્ષકમિત્રોએ પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહી સાથ સહકાર આપ્યો હતો.

શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર       ધાબા ઉત્સવશ્રવણ વિદ્યાભવન શાળામાં આજે તા 27/3/26ને શુક્રવારના રોજ પૂર્વ પ્રાથમિક, પ્રાથમ...
28/03/2026

શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર
ધાબા ઉત્સવ

શ્રવણ વિદ્યાભવન શાળામાં આજે તા 27/3/26ને શુક્રવારના રોજ પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓને નવનિર્મિત ધાબા પર લઈ જવામાં આવ્યા.ત્યાં પ્રકૃતિના ખોળે બેસી પ્રાર્થના કરાવવામાં આવી, બાળગીતો ગવડાવવામાં આવ્યા સાથે સાથે ગરબા પણ રમાડવામાં આવ્યા. આમ પ્રકૃતિની ગોદમાં વિદ્યાર્થી મિત્રોએ શુભ સોનેરી અને મીઠી સવારનો આનંદ માણ્યો. વિદ્યાર્થીઓને કપ કેક તથા ચોકલેટ આપી મોં મીઠું કરાવ્યું.

*સરસ્વતી માતાના પાટોત્સવની ઉજવણી*🙏🏻💐💐🌻🌹🌹🌻💐💐🙏🏻*या देवी सर्वभूतेषु* *सरस्वतीरूपेण संस्थिता।**नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै...
27/03/2026

*સરસ્વતી માતાના પાટોત્સવની ઉજવણી*
🙏🏻💐💐🌻🌹🌹🌻💐💐🙏🏻

*या देवी सर्वभूतेषु* *सरस्वतीरूपेण संस्थिता।*
*नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।*

જ્ઞાનની દેવી,વિદ્યાની પ્રતિક અને કળાની આરાધ્યા માતા સરસ્વતીને વંદન કરી વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરે તે હેતુસર સરસ્વતી મંદિરની સ્થાપના *તા 27/3/22* ના રોજ કરવામાં આવી હતી.જે નિમિત્તે દર વર્ષે માતાજીના પાટોત્સવની ઉજવણી શાળામાં કરવામાં આવે છે.આ વર્ષે પણ શ્રવણ પરિવારમાં *તા 27/3/26 ને શુક્રવારના* રોજ ઉત્સાહભેર અને ભક્તિભાવથી માતાજીની આરાધના કરવામાં આવી.પ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી,મંત્રીશ્રી કિરણભાઈ મોદી તથા આચાર્યા શ્રીમતી દિપીકાબેન મોદીએ માતાજીને પંચામૃત થી સ્નાન કરાવી અત્તરના છંટકાવ સાથે સુંદર વાઘા પધરાવ્યા અને સોળે શણગાર કરી સજાવવામાં આવ્યા. તેઓશ્રીએ આરતી તથા થાળ જમાડી માતાજીની પૂજા અર્ચના કરી.
*માતાજીને સોળ શણગાર કરવામાં તથા વાઘા અર્પણ કરવામાં શાળાના શિક્ષક મિત્રો તથા તેમના પરિવારના સભ્યો સાથે ઘણા વાલીશ્રીઓ પણ માતાજીને શોભાયમાન બનાવવામાં સહભાગી બને છે.*
માતા સરસ્વતીનું સ્થાન આપણા જીવનમાં ખૂબ જ ઊંચું છે. તેઓ આપણને જ્ઞાન, બુદ્ધિ, વિવેક અને સંસ્કારનો આશીર્વાદ આપે છે. વિદ્યાર્થી જીવનમાં તેમનું મહત્વ વિશેષ હોય છે, કારણ કે તેમની કૃપા વિના સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી
આ પાટોત્સવ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ શિક્ષણનું મહત્વ સમજાવે છે અને સદાચારના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે. માતાજીના આશીર્વાદથી આપણા જીવનમાં પ્રકાશ ફેલાય, અજ્ઞાનનો અંધકાર દૂર થાય અને આપણે સદાય જ્ઞાનના માર્ગે આગળ વધીએ છીએ.
*આ પાટોત્સવની ઉજવણીના પ્રસંગે વિદ્યાર્થીઓને પ્રસાદરૂપે કપ કેક આપવામાં આવી.*

શ્રવણ વિદ્યાભવન, અંકલેશ્વર🌸 બાલસભાની પ્રવૃત્તિઓમાં વિજેતા વિદ્યાર્થીઓ તથા શિસ્તના આગ્રહી સ્વયંસેવકો માટે પ્રોત્સાહન ઈનામ...
09/03/2026

શ્રવણ વિદ્યાભવન, અંકલેશ્વર

🌸 બાલસભાની પ્રવૃત્તિઓમાં વિજેતા વિદ્યાર્થીઓ તથા શિસ્તના આગ્રહી સ્વયંસેવકો માટે પ્રોત્સાહન ઈનામ વિતરણ સમારોહ 🌸

🗳️🎁✨🗳️🎁✨🗳️🎁✨🗳️🎁✨

શાળાના યશસ્વી પ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી તથા આદરણીય આચાર્યા શ્રીમતી દિપીકાબેન મોદીના સુમેળભર્યા માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન બાલસભાના કન્વીનર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત સર્જનાત્મક શક્તિ ખીલવવા માટે બાલસભાની વિવિધ રચનાત્મક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવે છે. સાથે સાથે શાળામાં શિસ્ત, સંયમ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુસર શિસ્તના આગ્રહી સ્વયંસેવકોની નિમણૂક પણ કરવામાં આવે છે.વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા, લગન અને નિયમિતતાને બિરદાવવા માટે તા. ૯/૩/૨૦૨૬, સોમવારના રોજ શાળામાં ભવ્ય પ્રોત્સાહન ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. વર્ષ દરમિયાન ધોરણ ૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓએ બાલસભાની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કૌશલ્યપ્રતિભા પ્રગટ કરી.વિજેતા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ અનુસાર ઉપયોગી અને પ્રેરણાદાયી ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં
🪻એક વાર વિજેતા થનારને લંચ બોક્સ અને વોટર બોટલ,
🪻બે વાર વિજેતા થનારને એક ટોવેલ-બે નેપકીન,
🪻ત્રણ વાર વિજેતા થનારને ડબલ બેડ શીટ અને બે પિલો કવર
🪻ચાર વાર વિજેતા થનારને કમફર્ટર,
🪻પાંચ વાર વિજેતા થનારને ડબલ બેડ દોહર- બે નેપકીન,
🪻છ વાર વિજેતા થનારને પ્લેન કમફર્ટર
🪻સાત વાર વિજેતા થનારને દોહર અને કમફર્ટર
🪻આઠ વાર વિજેતા થનારને કમફર્ટર દોહર આપવામાં આવ્યા.
🪻શિસ્તના આગ્રહી સ્વયંસેવકોને સ્કૂલ બેગ અર્પણ કરી તેમની નિષ્ઠા અને જવાબદારીભાવને બિરદાવવામાં આવ્યા.
🪻 ઝોન કક્ષા તથા રાજ્ય કક્ષામાં શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને બેડશીટ અને નેપકીન આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે કુલ ૪૧૭ વિદ્યાર્થીઓને ઈનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી તથા આચાર્યા શ્રીમતી દિપીકાબેન મોદી સાથે શાળાના શિક્ષકમિત્રો વરદહસ્તે વિદ્યાર્થીઓને ઈનામ અર્પણ કરી તેમની પ્રતિભાને સન્માનિત કરવામાં આવી.
આવો સમારોહ માત્ર ઈનામ વિતરણ પૂરતો સીમિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં અભિવૃદ્ધિ કરનાર, તેમની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરનાર અને ઉત્તમતા તરફ આગળ વધવા પ્રેરિત કરનાર સકારાત્મક પ્રયત્ન સાબિત થયો. જીવન જરૂરિયાતની ઉપયોગી ભેટોથી સન્માનિત થઈ વિદ્યાર્થીઓના ચહેરા પર ખીલેલા આનંદ અને ગૌરવની ઝળહળાટી સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી ગઈ.
બાલસભાની આ સકારાત્મક પરંપરા ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓને સહભાગી બનવા પ્રેરિત કરે અને સફળતાની નવી શિખરો સર કરાવે, તેવી શુભકામનાઓ સાથે કાર્યક્રમનો સમાપન થયો. ✨🌸

*ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન*   ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન , માય  ભારત, ભરૂચ, ગુજરાત.દ્વારા વુમન્સ ડે સેલિબ્રેશ...
08/03/2026

*ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન*
ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન , માય ભારત, ભરૂચ, ગુજરાત.દ્વારા વુમન્સ ડે સેલિબ્રેશનમાં એથલેટિક્સ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં *U- 18 કેટેગરીમાં* શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ વિજેતા બની શાળાનું નામ રોશન કર્યું. *વિજેતા વિદ્યાર્થીનીઓને *ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ* એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.
👉 ૨૦૦મી. *ધ્યાના પટેલ (પ્રથમ નંબર )*
👉 ૪૦૦મી. *નવ્યા પટેલ (પ્રથમ નંબર)*
પ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી, મંત્રીશ્રી કિરણભાઈ મોદી, આચાર્યા શ્રીમતી દીપીકાબેન મોદીએ વિધાર્થીનીઓ, પી.ઇ શિક્ષક યોગેન્દ્રસિંહ ખરચીયા અને કલ્પના પટેલને *હાર્દિક અભિનંદન* પાઠવ્યા છે.

07/03/2026

*શ્રવણ વિદ્યાભવન, અંકલેશ્વર*

🌹 *વિશ્વ મહિલા દિનની ઉજવણી તથા બાલસભાની પ્રવૃત્તિમાં વિજેતા વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સમારોહ* 🌹

🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

શ્રવણ વિદ્યાભવન, અંકલેશ્વરમાં પ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી તથા આચાર્યા શ્રીમતી દિપીકાબેન મોદીના માર્ગદર્શન હેઠળ *તા. ૭ માર્ચ ૨૦૨૬, શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાથે બાલસભાના વિજેતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.*
વર્ષ દરમિયાન બાલસભા અને વિવિધ શૈક્ષણિક-સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તથા સ્વયંસેવકો એવા *ધોરણ ૧ થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત* કરવા આ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે *S.V.E.M. શાળાના આચાર્યા શ્રીમતી મિનાક્ષીબેન ભારદ્વાજ મુખ્ય મહેમાન* તરીકે ઉપસ્થિત રહ્યા. સાથે અતિથિ વિશેષ તરીકે સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્યશ્રી મિલેન્દ્રસિંહ કેસરોલા, શાળાના પ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી, આચાર્યા શ્રીમતી દિપીકાબેન મોદી તથા પ્રાથમિક વિભાગીય વડા શ્રીમતી જિજ્ઞાસાબેન શુક્લની ઉપસ્થિતિથી કાર્યક્રમ ગૌરવશાળી બન્યો.
મહિલા દિન નિમિત્તે નારીશક્તિના યોગદાનને વંદન કરવાના શુભ આશયથી માનનીય શ્રીમતી મિનાક્ષીબેન ભારદ્વાજનું શૈક્ષણિક ક્ષેત્રે ૨૯ વર્ષના સફળ યોગદાન માટે શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું. મહેમાનશ્રીએ વિદ્યાર્થીઓને મા બાપની આજ્ઞાનું પાલન કરવાની શીખ આપી.
વિજેતા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ મુજબ લંચ બોક્સ,બોટલ, ટોવેલ-નેપકીન, ડબલ બેડસીટ-પિલો કવર, કમફર્ટર તથા દોહર જેવી ઉપયોગી ભેટો અર્પણ કરવામાં આવી. શિસ્તના આગ્રહી સ્વયંસેવકોને સ્કૂલબેગ તથા રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને દોહર-નેપકીન આપી સન્માનિત કરવામાં આવ્યા. કુલ *417 વિદ્યાર્થીઓને* ઈનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
મહેમાનશ્રી,પ્રમુખશ્રી, આચાર્યાશ્રી તથા વિભાગીય વડાશ્રીના વરદ્ હસ્તે વિદ્યાર્થીઓને ઈનામો અર્પણ થતા વિદ્યાર્થીઓના ચહેરા પર ઝળહળતો આનંદ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી ગયો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે સફળતાની નવી શિખરો સર કરવા પ્રેરિત કરનાર સાબિત થયો✨🌸

*શ્રવણ વિદ્યાભવન, અંકલેશ્વર* 🌸 *હોળી-ધુળેટી પર્વની ઉજવણી* 🌸🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 *તારીખ ૪/૦૩/૨૦૨૬ ને* *મંગળવારના* રોજ શાળામાં *હો...
03/03/2026

*શ્રવણ વિદ્યાભવન, અંકલેશ્વર*

🌸 *હોળી-ધુળેટી પર્વની ઉજવણી* 🌸

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*તારીખ ૪/૦૩/૨૦૨૬ ને* *મંગળવારના* રોજ શાળામાં *હોળી-ધુળેટી પર્વની ઉજવણી* હર્ષોલ્લાસભેર કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં આસુરી વૃત્તિઓનો નાશ થાય અને દૈવી શક્તિ પ્રત્યે આદરભાવ વિકસે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ હોળી પર્વનું મહત્ત્વ, તેની ઉત્પત્તિ તેમજ ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા રસપૂર્વક રજૂ કરી. સાથે સાથે હોળી અને ધુળેટીનો સામાજિક તથા આધ્યાત્મિક સંદેશ પણ સુંદર રીતે સમજાવ્યો.
શાળાના આચાર્યા શ્રીમતી દિપીકાબેન મોદીએ પર્વની પવિત્રતા અને પૂજન-અર્ચનના મહિમા અંગે માર્ગદર્શન આપ્યું. પ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી દ્વારા સૌને હોળી-ધુળેટીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પર્વની ઉજવણી આનંદ, સંસ્કાર અને સંદેશનો સુમેળ બની રહી. 🌼

*શ્રવણ વિદ્યાભવન**પૂર્વ પ્રાથમિક વિભાગ*🍨🍨🍨*પ્રાચીન મિઠાઈ ડે* ની ઉજવણી 🧆🍨🫓આપણાં તહેવારોમાં જાતજાતની મિઠાઈ બનાવીએ છીએ. બાળ...
24/02/2026

*શ્રવણ વિદ્યાભવન*
*પૂર્વ પ્રાથમિક વિભાગ*
🍨🍨🍨
*પ્રાચીન મિઠાઈ ડે* ની ઉજવણી
🧆🍨🫓
આપણાં તહેવારોમાં જાતજાતની મિઠાઈ બનાવીએ છીએ. બાળકોની પ્રાચીન મિઠાઈ પ્રત્યે રુચિ વધે તેઓ સ્વાસ્થ્યવર્ધક મિઠાઈ ખાતા શીખે તેમજ *લાપસી, શીરો, સુખડી, ઘુઘરા, વેઢમી, ઘારી, ઘૂઘરા, ગગન ગાંઠિયા, સાટા, બરફી, મગસ* વિશે માહિતી મેળવે તે હેતુસર શાળામાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં તા.*૨૪/૨/૨૬* ના મંગળવારે *પ્રાચીન મિઠાઈ ડે* નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડેન્ટલ સર્જન ડૉ. તેજલ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ બાળકોને પ્રાચીન મિઠાઈ ખાવા અંગે તેમજ દાંતની સંભાળ રાખવા માટે બાળશૈલીમા સમજણ આપી હતી. બાળકોને પ્રાચીન મિઠાઈ વિશે તેમજ તેમાં વપરાતા પદાર્થ ઘઉંનો લોટ, ચણાનો લોટ, ઘી, ગોળ, ખાંડ, મધથી થતાં ફાયદા - જેવાકે તે પૌષ્ટિક છે, તેમાંથી શક્તિ મળે છે તેમજ આ બધી પ્રાચીન મિઠાઈઓ સ્વાસ્થ્યવર્ધક છે તે જાણકારી આપવાનો તેમજ બાળકો આ મિઠાઈઓ ખાતા શીખે એ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.. શાળા પરિવારે સૌને શુભેચ્છા પાઠવી હતી. બાળકોએ ઘઉંની, ચણાની, માવાની મિઠાઈઓ વિશે માહિતી આપી અને અભિનય ગીત રજૂ કર્યું હતું. શાળાના સંગીત શિક્ષકોએ સુંદર મિઠાઈ ગીત રજૂ કર્યું હતું. વાલીમિત્રોએ બાળકો સાથે મિઠાઈઓ મોકલીને મીઠો સહકાર આપ્યો. આ સાથે પ્રાચીન મિઠાઈ ડે મીઠો મધુરો રહ્યો.

Address

SHRAVAN VIDYABHAVAN
Ankleshwar
393001

Telephone

+912646248518

Website

Alerts

Be the first to know and let us send you an email when Shravan Vidhyabhavan, Ankleshwar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shravan Vidhyabhavan, Ankleshwar:

Shortcuts

Share

Category