Shree Thakorbhai Patel Arts And Commerce College Ankleshwar

Shree Thakorbhai Patel Arts And  Commerce College Ankleshwar ભરૂચના અંકલેશ્વર ખાતે શ્રી ઠાકોરભાઈ ?

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતે 2026-2027ના પ્રથમ વર્ષ કૉલેજ પ્રવેશ માટે વિના મૂલ્યે રજિસ્ટ્...
25/03/2026

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતે 2026-2027ના પ્રથમ વર્ષ કૉલેજ પ્રવેશ માટે વિના મૂલ્યે રજિસ્ટ્રેશન કરવાથી સુવિધા ટૂંક સમય શરૂ થશે...

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના GCAS (Gujarat Common Admission Services) પોર્ટલ પર શૈક્ષણિક વર્ષ 2026-2027 માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતે વિના મૂલ્યે(free) ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓ ઈ.એન.જીનવાલા હાઈસ્કૂલ કેમ્પસ, સ્ટેશન રોડ, અંકલેશ્વર ખાતે આવેલ કૉલેજ ઓફિસમાંથી સવારે ૯.૦૦થી ૨.૦૦ વાગ્યા દરમિયાન કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે.
GCASની માર્ગદર્શિકા મુજબ, સંપૂર્ણ ફોર્મ સબમિશન અથવા ચોક્કસ પ્રક્રિયાઓ માટે વિદ્યાર્થીઓએ ₹300ની રજિસ્ટ્રેશન ફી ઓનલાઇન મોડ દ્વારા ભરવાની રહેશે. જોકે કૉલેજ દ્વારા રજિસ્ટ્રેશનની સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી છે.

તથા GCAS માહિતી માટે કોલેજનો સંપર્ક કરી શકો છો...

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતે 2026-2027ના પ્રથમ વર્ષ કૉલેજ પ્રવેશ માટે વિના મૂલ્યે રજિસ્ટ્...
25/03/2026

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતે 2026-2027ના પ્રથમ વર્ષ કૉલેજ પ્રવેશ માટે વિના મૂલ્યે રજિસ્ટ્રેશન કરવાની સુવિધા ટૂંક સમયમા શરૂ થશે...
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારના GCAS (Gujarat Common Admission Services) પોર્ટલ પર શૈક્ષણિક વર્ષ 2026-2027 માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા વિદ્યાર્થીઓ માટે શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતે વિના મૂલ્યે (Free) ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓ ઈ.એન.જીનવાલા હાઈસ્કૂલ કેમ્પસ, સ્ટેશન રોડ, અંકલેશ્વર ખાતે આવેલ કૉલેજ ઓફિસમાંથી સવારે ૯.૦૦ થી ૨.૦૦ વાગ્યા દરમિયાન કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે.
GCASની માર્ગદર્શિકા મુજબ, સંપૂર્ણ ફોર્મ સબમિશન અથવા ચોક્કસ પ્રક્રિયાઓ માટે વિદ્યાર્થીઓએ ₹300ની રજિસ્ટ્રેશન ફી ઓનલાઇન મોડ દ્વારા ભરવાની રહેશે. જોકે કૉલેજ દ્વારા રજિસ્ટ્રેશનની સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી છે.
તથા GCAS માહિતી બાબતે માહિતી માટે કોલેજનો સંપર્ક કરી શકો છો.....

તા. 25/02/2026અંકલેશ્વર શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા આયોજિત ”સ્વ.શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વા...
28/02/2026

તા. 25/02/2026
અંકલેશ્વર
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા આયોજિત ”સ્વ.શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ 2025 26”
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા આયોજિત ”સ્વ.શાંતાબેન ઠાકોરભાઈ પટેલ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ 2025 26”
સભાના અધ્યક્ષપદે એડમિનિસ્ટ્રેટર શ્રી ચિરાગભાઈ શાહ, કૉ-એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલ, શ્રીમતી કિંજલબેન ચિરાગભાઈ શાહ, શ્રીમતી હિરલબેન બલવંતસિંહ પટેલ, કૉલેજના આચાર્યશ્રી ડૉ. જી. કે. નંદા, ઈ. એન. જિનવાલા હાઈસ્કૂલ આચાર્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, એમ. ટી. એમ. ગર્લ્સ સ્કૂલ આચાર્ય શ્રી નયનાબેન રાણા, વરિષ્ઠ અધ્યાપક પ્રા. હરેશ પરીખની ઉપસ્થિતિમાં યોજાયો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. પ્રાર્થના દામિની સોલંકીએ પ્રસ્તુત કરી હતી.
આચાર્યશ્રી ડૉ. જી. કે. નંદાએ સૌને આવકાર્યા હતા.
શ્રીમતી કિંજલબેન ચિરાગભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, " વિદ્યાર્થી મિત્રો વાર્ષિકોત્સવ પ્રસંગે તમને મળવાનો મોકો મળ્યો છે. તમને મળીએ છીએ ત્યારે અમારી કોલેજ લાઈફ પ્રતિબિંબિત થાય છે અને આ કોલેજ જીવનની બેસ્ટ મેમરી એટલે આપણું કોલેજ આલ્બમ- જે આપની અંદર હું પોતાની જોઈ રહી છું એન્યુઅલ ફંકશન મહત્વનું છે ખરેખર આપણે એક પરિવારના છીએ. આ રીતે એક પરિવારને મળીએ છીએ. અમે હંમેશા આપની સાથે છીએ. નંદાસર માટે એકવાર તાળી થવી જોઈએ. એમણે જે કોલેજ પરિવારને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભરપૂર પ્રેમ આપ્યો છે. તે કેવો છે? ભણતર મળે છે અને સાથે સાથે તમને ઘડતર પણ મળે છે. દરેક સ્ટાફ મહેનત કરી રહ્યા છે. આ જ વસ્તુ તમને જીવનમાં યાદ આવશે. આજે વિદ્યાર્થી તરીકેનું જીવન છે, એનું વેલ્યુ શું છે? તે માટે હું તમને એક વાત કહીશ. એ વાતનો સાર એ છે કે આપણે એવા કીમતી પથ્થર છીએ કે જેની પરખ કરનાર જ એની કિંમત સમજી શકે. કેમકે વિદ્યાર્થી મિત્રો, આપણે એક જ છીએ ; સ્પેશિયલ છીએ. આપણા જીવનનું મહત્વ આપણે સમજવું જોઈશે. "
કૉ-એડમિનિસ્ટ્રેટર બલવંતસિંહ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, "
મારા કાકા શ્રી ઈશ્વરસિંહ પટેલે અમને કોલેજ ચાલુ રાખવા માટે જે જવાબદારી આપી છે તે અમે કદમ સાથે કદમ મિલાવીને, ખભા સાથે ખભો મિલાવીને, આ કોલેજને ભરૂચ જિલ્લામાં સર્વોત્તમ કોલેજના રૂપમાં સ્થાપિત કરવા કટિબદ્ધ છીએ .હાસોટ અંકલેશ્વર વિસ્તારના બાળકો માટે આ કોલેજ આશીર્વાદરૂપ છે. "
સભાના અધ્યક્ષ એડમિનિસ્ટ્રેટર શ્રી ચિરાગભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, " અંકલેશ્વર નગરપાલિકા, જિનવાલા અને એમટીએમ ગર્લ્સ સ્કૂલ કાર્યક્ષેત્રમાં આપણું કાર્યક્ષેત્ર ચાલે છે, એમનો આભાર.આ કોલેજનું સ્ટેયરીંગ લોકલાડીલા ઈશ્વરસિંહ પટેલના હાથમાં છે અને તેમણે એ અમને સોંપ્યું છે. વિદ્યાર્થીઓનો સપોર્ટ છે કેમકે 250 વિદ્યાર્થીઓથી શરૂ કરીને આજે હજારથી વધારે સંખ્યા થઈ છે. આ તમામના સાથ સહકારથી આ શક્ય બન્યું છે અને તમારા સહકારથી આ કોલેજે અમે ચલાવી રહ્યા છીએ. કેમકે એક બીજનું સ્થાપન કરવામાં આવ્યું હતું . આપણે કોલેજ બિલ્ડીંગ માટે જમીન લઈ લીધી છે અને ઝડપથી એનું કામ શરૂ કરીશું અને કૉલેજ ચલાવવી અને ભણતર સાથે ગણતર કરાવવું એ શક્ય બન્યું છે. અભ્યાસ, એક્સ્ટ્રા એક્ટિવિટી અને કોલેજ ચલાવવું આ ત્રણેય વસ્તુ કોલેજને તાલુકા, જિલ્લા અને સ્ટેટ સુધી જ નહીં પણ નેશનલ લેવલે આગળ વધારે છે. તમે એક ઇગલ પક્ષી જેવા ગુણો ધારણ કરો જે સંઘર્ષમાં પણ પોતાના વ્યક્તિત્વની ભૂલતું નથી"
વાર્ષિક અહેવાલનું વાંચન વરિષ્ઠ અધ્યાપક પ્રા હરેશ પરીખે કર્યું હતું.
રાષ્ટ્રીય અને યુનિવર્સિટી, કૉલેજ કક્ષાએ શિક્ષણેતર તથા શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે સહભાગિતા - અનુજ સાકવા(નેશનલ પરેડ દિલ્હીમાં ), ખુશ્બુકુમારી રસિકભાઈ સોલંકી, રાઠોડ અક્ષય કિશોરભાઈ એનઆઇસી રાષ્ટ્રીય NSS કૅમ્પ બિહાર ), યુનિવર્સિટી કક્ષાએ સિદ્ધિ - ઇન્ટિરિયર યુનિ. પ્લેયર પાર્થિવ પટેલ, નીલ પટેલ, અભિષેક પાલ, અંશુ પાલ, વિશાલ દિહોરા, અભય ગુપ્તા, મુસ્તકીલ અને યુનિ એથ્લેલેટિક મીટમાં લોંગ જમ્પમાં સિલ્વર મેડલ લાવનાર ખેલાડી ચિરાગ માછી, 52 માં રાની અબક્કાદેવી યુથ ફેસ્ટિવલમાં કાવ્ય પઠનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ભટ્ટ હાર્વી નીતિનકુમાર, અંતર કોલેજ કક્ષાએ આયોજિત સ્પર્ધાઓમાં પટેલ ફેનિલ પ્રમોદભાઈ(રંગોલી-પ્રથમ) દામિની કમલેશભાઈ સોલંકી( દેશભક્તિ ગીતસ્પર્ધા -દ્વિતીય) ભટ્ટ હાર્વી નીતિનકુમાર( પુસ્તકસમીક્ષા સ્પર્ધા- તૃતીય) માજીદા પઠાણ ( મહેંદી સ્પર્ધા-ચતુર્થ, શૈક્ષણિક સ્તરે યુનિવર્સિટી કક્ષાએ એક વિષયમાં સર્વાધિક ગુણ પ્રાપ્ત કરનાર રીનલ ભરતકુમાર મોરી(એમ. એ.), ચોકસી સાયમા ઈકબાલ(એમ. એ.), બેરા ફાહિમા ફિરોઝ(બી. એ.) લુણી શ્રુતિ ચંદુભાઈ (બી. એ.) તથા કોલેજ કક્ષાએ સર્વાધિક ગુણ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ અને શિક્ષણેતર પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક, રમતગમત તથા સ્ટુડન્ટ સ્ટાર્ટપ અને ઇનોવેશન પૉલિસીમાં સ્થાન પ્રાપ્ત કરનાર સૌને ઈનામ આપવામાં આવ્યા હતા.
વીએનએસજીયુ સુરત આંતર કોલેજ હોકી ભાઈઓની સ્પર્ધા સુરત હોકી ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતી જેમાં દોસ્તી મોએ ભાગ લીધો હતો જેમાં છે ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ટીમ વિજેતા થઈ હતી અને યુનિવર્સિટીની આંતર યુનિવર્સિટી ટીમમાં આ કોલેજના સાત વિદ્યાર્થીઓ પસંદગી પામીને ભોપાલ મુકામે હોકી રમવા ગયા હતા
એન. એસ. એસ. શ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે શ્રુતિ ચંદુભાઈ લુણી તથા વૈભવકુમાર દિનેશભાઈ પ્રજાપતિને વર્ષ દરમિયાન કરેલી શ્રેષ્ઠ કામગીરી માટે ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
સમારંભનું આભારદર્શન સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રી ડૉ. હેમંત દેસાઈએ કર્યું હતું. સભાનું સંચાલન ડૉ. જયશ્રી ચૌધરી અને ડૉ. જગદીશ કંથારીઆએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કોલેજ પરિવારે સહયોગ આપ્યો હતો.

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સ્વ.શાંતાબેન ઠાકોરભાઈ પટેલ મેમોરિયલ સ્પોટ ફેસ્ટ 2026 નું આયોજન 17 ફેબ...
21/02/2026

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સ્વ.શાંતાબેન ઠાકોરભાઈ પટેલ મેમોરિયલ સ્પોટ ફેસ્ટ 2026 નું આયોજન 17 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી સુધી કર્યું હતું. ત્રણ દિવસીય રમોત્સવમાં પ્રથમ દિવસે પરંપરાગત રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળા કુડ, સંગીત ખુરશી, ત્રિપગી દોડ, અને 18 તારીખે ભાઈઓ બહેનોની રસ્સા ખેંચ કબડ્ડી અને ત્રીજા દિવસે ભાઈઓ બહેનોને ક્રિકેટ મેચ રોયલ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ જૂની દીવી મુકામે યોજાયેલ હતી દોડ સ્પર્ધામાં ઉત્સાહ ભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ખાસ વાત એ છે કે પહેલીવાર આ કોલેજમાં STP પ્રીમિયર લીગ નું આયોજન કર્યું હતું જેમાં કોલેજના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમમાં ઓનર રહ્યા હતા જે માટે THE WALL XI (DR.H.S.DESAI) J.K.FIGHTERS (DR. J. K. KANTHARIA) MANAV XI (NIRAV PATEL) M. K. LIONS (MONTU/KAUSHIK) બહેનોની ટીમમાં J. C. STRIKERS (DR. J. J. CHAUDHARY) S. R. K. GIANTS (PRO. S. K. KHANDPUR) N. V. CHALLENGERS (DR. N. J. VASAVA)આ સમગ્ર ટીમ માંથી ભાઈઓમાં ફાઇનલ મેચ MANAV XI vs J.K.FIGHTERS રમાઈ હતી જેમાં MANAV XI વિજેતા થઈ હતી અને બહેનોમાં ફાઇનલ મેચ J. C. STRIKERS vs S. R. K. GIANTS રમાઈ હતી જેમાં S. R. K. GIANTS વિજેતા થઈ હતી આ તમામ વિજેતા ખેલાડીઓને સંચાલક મંડળ અને કોલેજ આચાર્યશ્રી દ્વારા શુભેચ્છાઓ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 202...
21/02/2026

શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 2026 ના રોજ પારંપરિક વેશભૂષા હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં તેમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓ રાજસ્થાની, મારવાડી, નવવારી તેમ વિવિધ પ્રકારની સાડીઓમાં સજ થઈને catwalk કરી હતી. ભાઈઓ એ પણ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. ઇન્ચાર્જ આચાર્ય ડો.જી કે નંદાએ પ્રાસંગિક ઉદબોધન કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોનલ આર ખંડપુર તથા ડો નિશાબેન વસાવા
દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

અત્રેની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરનો એકદિવસીય શૈક્ષણિક પ્રવાસ તા. 4/2/2026 ના રોજ પદમડુંગરી અન...
09/02/2026

અત્રેની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરનો એકદિવસીય શૈક્ષણિક પ્રવાસ તા. 4/2/2026 ના રોજ પદમડુંગરી અને સાપુતારા ખાતે આચાર્યશ્રી ડૉ. જી.કે.નંદાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ,અંકલેશ્વર અંકલેશ્વરનીનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ પદમડુંગરી અને સાપુતારા ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો. UG અને PGના 150 વિદ્યાર્થીઓ તથા તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ આ પ્રવાસમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ આ પ્રવાસમાં જોડાઈને પ્રકૃતિના ખોળે સમૂહ જીવનના પાઠ ભણ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રુતિ લુણી અને વૈભવ પ્રજાપતિ તથા ડૉ. મનેષ પટેલ અને ડૉ. નિશા વસાવાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રવાસમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ ડૉ. જયશ્રી ચૌધરી, ડૉ. મનેષ પટેલ, ડૉ. ભાગ્યશ્રી બારપાંડે, ડૉ. નિશા વસાવા, ડૉ. જગદીશ કંથારીયા, પ્રો હરસિદ્ધિ પંચાલ, પ્રો. મોન્ટુ પરમાર, ,પ્રો કૌશિક વસાવા, પ્રો. દક્ષેશ કમલાવાલા, પ્રો. હસમુખ પાટણવાડીયા, શ્રી ધર્મેશ પટેલ, શ્રી નીરવ પટેલ, શ્રી વિશાલ મિસ્ત્રી વગેરે જોડાયા હતા અને સાથ સહકાર વડે પ્રવાસ સફળ બનાવ્યો હતો.

અત્રેની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરમાં તા. 5/2/2026 ના રોજ "ડોગ અવેરનેસ" કાર્યક્રમ આચાર્યશ્રી ડ...
09/02/2026

અત્રેની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરમાં તા. 5/2/2026 ના રોજ "ડોગ અવેરનેસ" કાર્યક્રમ આચાર્યશ્રી ડૉ. જી.કે.નંદાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ,અંકલેશ્વરમાં તા. 5/2/2026 ના રોજ "ડોગ અવેરનેસ" કાર્યક્રમ આચાર્યશ્રી ડૉ. જી.કે.નંદાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. "ડોગ અવેરનેસ" ના કન્વીનરશ્રી પ્રો. રાજેશ પંડ્યા, CHO સજોદ ડૉ. ભૂમિ મકવાણા , CHO નવા બોરભાઠા ડૉ. કૃતિકા પટેલ, દીવા આશા હેલ્થ વર્કર ભૂમિ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. વિદ્યાર્થીઓ તથા તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ આ કાર્યક્રમમાં જોડાયો હતો. રખડતા કૂતરાઓથી રાખવાની સાવચેતી અને કાળજી બાબતે વ્યાખ્યાન આપ્યું હતું. જો કૂતરુ કરડે તો તેની તરત જ સારવાર લેવી નહીં તો જીવલેણ નીવડી શકે જે બાબતે વ્યાખ્યાન યોજાયું હતું જેમાં વ્યાખ્યાનમાં આચાર્યશ્રી ડૉ. જી. કે. નંદા એ પ્રાથમિક માહિતી આપી હતી. અને ઊંડી સમજ તબીબોએ આપી હતી. આ કાર્યક્રમમાં પ્રો સોનલ ખંડપુર ડૉ. જે. એમ. આહીર અને ડૉ. જગદીશ કંથારીઆએ ઉપસ્થિત રહ્યા હતા. પુનઃ આવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તબીબોએ ખાતરી આપી હતી.

એક બપોર ઉંબાડિયું સંગ સ્નેહમિલન….ઘોંઘાટ ભર્યા વાતાવરણથી દૂર પ્રકૃતિના સાંનિધ્યમાં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ ...
31/01/2026

એક બપોર ઉંબાડિયું સંગ સ્નેહમિલન….
ઘોંઘાટ ભર્યા વાતાવરણથી દૂર પ્રકૃતિના સાંનિધ્યમાં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ,અંકલેશ્વરના શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓનું વનભોજન.
એક દિવસ કૉલેજ સ્ટાફે નક્કી કર્યું ચાલો ઉંબાડિયું ખાઈએ. ને પછી શરૂ થઈ વનભોજનની તૈયારી. શૈક્ષણિક અને વહીવટી કામ વચ્ચે સમય મળે સ્ટાફ ઉંબાડિયું ને ખીચડીની સામગ્રીની વ્યવસ્થા માટે દોડતો થયો. કોઈ માટલા માટે તો કોઈ શાકભાજી માટે. ઉંબાડિયુંની પાપડી, કલાર, કંબોઈ, પીલવણની વ્યવસ્થા કરી ઉપડી ગયા 30મી જાન્યુઆરીએ અંકલેશ્વરના દીવા ગામ રોડના જમયતભાઈની વાડી એટલે માધવબાગ ફાર્મમાં. સુખડ-ચંદન, કમરખ,ચીકુ, નાળિયેરીના વૃક્ષો, વચ્ચે રાઈનું ખેતર. રાઈના પીળાં ફૂલોથી છવાયેલ માધવબાગ ફાર્મ શહેરના ઘોંઘાટથી દૂર હૃદયને શાતા આપતું હતું. સહુ સ્ટાફના સહકારથી એક તરફ ઉંબાડિયુંની સુગંધ અને બીજી તરફ ખીચડીનો સ્વાદ વાતાવરણને જીવંત કરતો હતો. સહુ સ્ટાફના ચહેર પર ખુશી અને આનંદ હતો. હોઠો પરથી ગીતો અને હાસ્ય ઉતરી રહ્યું હતું. ન વહીવટીની વાતો ન અભ્યાસક્રમની વાતો. વાતો હતી બસ આનંદની. મોજને મસ્તીની. આચાર્યશ્રી ડૉ.જી.કે.નંદા પ્રેરક ઉપસ્થિત હતી. સહુની વાતોમાં વાહ કંઈક અલગ લાગે છેનો ભાવ હતો.
એ દરમિયાન ઉંબાડિયું બની જતાં બધા એની સુંગધ અને ટેસ્ટમાં સહુ ખોવાઈ ગયા. હોઠ પર ઉંબાડિયું તીખાશ અને હાથમાં છાસનું પવાલું. ને પછી જાતજાતની વાતો વચ્ચે ક્યાં ખવાઈ ગઈ ખીચડી કે કોઈને ખબર ન પડી. સંગીતના સૂરો, કુદરતી પવનનો સથવારો અને વનભોજનની મોજ પછી માધવબાગને અલવિદા કહી ને છૂટા ભલે પડ્યા. પણ આ વનભોજનનો આનંદ આગામી આવા આયોજનની અપેક્ષા છોડી ગયો. સહુ સ્ટાફે દર વર્ષે બબ્બે વખત આવા આયોજન કરતા રહીશુંના વાયદા સાથે ઘર તરફ પ્રસ્થાન કર્યું….

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત 52મી એથ્લેટિકસ મીટ સ્પર્ધામાં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ...
31/01/2026

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત 52મી એથ્લેટિકસ મીટ સ્પર્ધામાં શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, અંકલેશ્વરના એફવાય બીએ ના વિદ્યાર્થી માછી ચિરાગ માં સિલ્વર મેડલથી અપ્રતિમ સિદ્ધિ મેળવેલ છે કોલેજના આચાર્યશ્રી , સ્ટાફ મિત્રો અને શા.શિક્ષણના અધ્યાપક દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતે સાઇબર સિક્યુરિટી પર પરિસંવાદનું આયોજન શ્રી ઠાકોરભાઈ પટેલ આર્...
29/01/2026

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતે સાઇબર સિક્યુરિટી પર પરિસંવાદનું આયોજન
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતેઆચાર્યશ્રી ડો.જી.કે નંદાના માર્ગદર્શન હેઠળ આજે સાઇબર સેલ ના નોડલ ઓફિસર ડૉ. હેમંત દેસાઈની અધ્યક્ષતામાં વિદ્યાર્થિનીઓમાં સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ માર્ગદર્શન હેતુસર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કૉલેજના આચાર્ય ડૉ.જી.કે.નંદાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇસપેકટર અમરસિંહ વાળા તથા પોલીસ કોન્સટેબલ યુવરાજસિંહ ગોહિલ (A ડિવિઝન પોલીસ સ્ટેશન, અંકલેશ્વર) એહાજર રહી વિદ્યાર્થિનીઓને સાંપ્રત ઘટનાઓ, બનાવોના દાખલાઓ આપી સચેત કરવા વ્યાખ્યાનઆપીઆજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. ઓનલાઈન બેંકિંગ, શિક્ષણ, આરોગ્ય સેવા, સંચાર અને વેપાર જેવી ઘણી પ્રવૃત્તિઓ હવે ઇન્ટરનેટ પર આધારિત છે. જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધે છે, તેમ તેમ સાયબર સુરક્ષાની જરૂરિયાત પણ વધી રહી છે. સાયબર સુરક્ષા એટલે કમ્પ્યુટર સિસ્ટમ, નેટવર્ક અને ડેટાને અનધિકૃત પ્રવેશ, હુમલા અથવા નુકસાનથી બચાવવાની પ્રક્રિયા.આવી ઘટનાઓમાં કઈ રીતે મદદરૂપ બની શકે એ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત તેમણે કૉલેજના વિદ્યાર્થિઓની સાઇબર સુરક્ષા અંગેની તકેદારીની વાત પણ કરી હતી. વધુમાં જણાવ્યુ હતું કે આપણાં અંકલેશ્વર શહેરમાં ગત વર્ષમાં આશરે 3 કરોડ રૂપિયાનું સાઇબર ફ્રોડ થયેલ છે. જેમાથી 50% રકમ પરત મેળવી શકાઇ છે. તેઓએ જણાવ્યુ હતું કે સોસિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરવો, પાસવર્ડ સ્ટ્રોંગ બનાવવો તથા APK ફાઇલ ડાઉનલોડ કરવી નહીં. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓએ ડ્રગ્સ જેવા વ્યશનોથી દૂર રહેવું. અંતમાં તેઓએ વિદ્યાર્થિનીઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી.
સાઇબર સેલના કૉ ઓર્ડીનેટર ડૉ. હેમંત દેસાઈ, અધ્યાપક પ્રો. હરેશ પરિખ, ડૉ. સોનલ ખંડપુર, ડૉ.જયશ્રી ચૌધરી,ડૉ. જગદીશ કંથારીયા,ડૉ. નિશા વસાવા, પ્રા. હરસિદ્ધિ પંચાલ, પ્રો. મોન્ટુ પરમાર, પ્રો.દક્ષેશ કમલાવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

77th Republic Day 🇮🇳
26/01/2026

77th Republic Day 🇮🇳

Address

Ankleshwar

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Thakorbhai Patel Arts And Commerce College Ankleshwar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share