25/08/2026
આણંદ આર્ટ્સ કોલેંજમાં સમાજશાસ્ત્ર વિભાગમાં વ્યાખ્યાન યોજાયું
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ અને IQAC ના સંયુક્ત ઉપક્રમે “૨૧ મી સદીમાં યુવાનોના આંદોલનો" વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાથીની મનીષા મિસ્ત્રી દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. પરેશ પરમારે જણાવ્યું હતું કે વિભાગમાં પ્રતિવર્ષ વિવિધ તજજ્ઞોના વ્યાખ્યાનો યોજવામાં આવે છે. ૨૧ મી સદી યુવાનોની સદી છે. આજનો યુવાન મોબાઈલના સ્ક્રીનથી વૈશ્વિક સ્તરે વિચારોનું આંદોલન ચલાવે છે.
કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડો. પ્રેમચંદ કોરાલીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતું કે ૨૧ મી સદીના આંદોલનોની દિશા સોશિયલ મીડિયા અને ટેકનોલોજીએ બદલી નાખી છે. આજના યુવાનો એ વિરોધ ની સાથે ઉકેલ લક્ષી વિચાર ધારા અપનાવવી જોઈએ.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે આર.કે.પરીખ આર્ટ્સ અને સાયન્સ કોલેજ પેટલાદના અસિસ્ટંટ પ્રોફેસર ડો.હીરેન ચાવડા ઉપસ્થિત રહયા હતા. ડો.ચાવડા એ વક્તવ્ય માં જણાવ્યુ હતું કે, અગાઉ ના સમય માં આંદોલનો રાજકીય સ્વતંત્રતા માટે હતા જ્યારે ૨૧ મી સદી ના આંદોલનો પર્યાવરણ, જાતિ સમાનતા, ભ્રષ્ટાચાર અને અભિવ્યક્તિની આઝાદી જેવા વૈશ્વિક મુદ્દાઓ પર કેન્દ્રીત છે. તેમણે અન્ના આંદોલન, નિર્ભયા આંદોલન અને ગેટા થનબર્ગના પર્યાવરણ આંદોલનના ઉદાહરણો આપી યુવાનોની ભૂમિકા સમજાવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મિત્તલ ગોહેલ અને આભાર વિધિ પ્રો. સુભાષ વિરોલા કરી હતી. કાર્યક્રમમાં સમગ્ર કોલેજ પરિવારનો સક્રિય સહયોગ સાંપડ્યો હતો.