26/09/2025
-:મુખ્ય કુમારશાળા, ઓડ ખાતે જેકેટનું દાન:-
આજ રોજ તા.26.09.2025 ને શુક્રવારે અત્રેની મુખ્ય કુમારશાળા, ઓડના ધોરણ 1 થી 8 અને બાલવાટિકાના તમામ બાળકોને ઓડના દાતા શ્રી ગિરીશભાઈ હરમાનભાઈ પટેલ અને શ્રી જિતેન્દ્રભાઈ બુધભાઈ પટેલ તરફથી જેકેટનું દાન મળ્યું હતું. દાતાશ્રીએ રૂબરૂ શાળા મુલાકાત કરી શાળાના તમામ 360 બાળકોને જેકેટનું વિતરણ કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી હિરેનકુમાર પટેલ અને શિક્ષક શ્રી વીરેન્દ્રકુમાર રાવળે દાતાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. શ્રી ઉર્વીશભાઈ અને શ્રી શ્રેણીભાઈનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. દાતાશ્રીઓનો શાળાના આચાર્ય શ્રી હિરેનકુમાર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.