24/08/2026
📚✨ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન ✨📚
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, આણંદના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ. ભીખુભાઈ પટેલ સાહેબના ૨૦ વર્ષના સફળ સેવાકાળના ગૌરવપૂર્ણ ‘આરોહણ’ નિમિત્તે એન. એસ. પટેલ આર્ટ્સ (ઓટોનોમસ) કોલેજ, આણંદ ખાતે પુસ્તક મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. ભીખુભાઈ પટેલ સાહેબ, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અને જોઈન્ટ સેક્રેટરી શ્રી અન્વેષભાઈ પટેલ, કૉલેજના આચાર્ય પ્રો. પ્રશાંત પટેલ તેમજ ટ્રસ્ટના પ્રતિનિધિ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પુસ્તક મેળાના સંયોજક ડૉ. ચિરાગ પરમાર તથા સમિતિના સભ્યો ડૉ. કાંચી શુક્લ, ડૉ. કનુભાઈ ભવા, ડૉ. જયેન્દ્રસિંહ મહિડા, ડૉ. કિરણસિંહ બારૈયા, પ્રા. ડિમ્પલ પટેલ, શ્રી મયુર પટેલ અને ડૉ. સુરેશ ઝાલાએ આયોજનમાં સક્રિય સહયોગ આપ્યો હતો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી હતી.
વાંચો • વિચારો • શીખો • આગળ વધો! 💫