Gujarat All India Save Education Committee

Gujarat All India Save Education Committee

Share

All India Save Education Committee is an all India forum of renowned educationists. Its foundation was laid by late Justice V. R. Sh.

Krishna Iyer, Dr. Sushilkumar Mukherjee and others. Yashwantbhai Shukla was the first President of Gujarat Chapter.

Photos from Gujarat All India Save Education Committee's post 19/05/2026

Demonstration by AISEC, Gujarat Chapter at Gujarat University in the protest of Gujarat Common Admission Services (GCAS).

19/05/2026

Prof. Hemantkumar Shah, Well Known Economist, addressing the gathering at Protest Demonstration against GCAS at Gujarat University by AISEC, Gujarat Chapter

Photos from Gujarat All India Save Education Committee's post 01/05/2026
NEP-2020 undemocratically implemented by Union government: Thorat 25/01/2026

NEP-2020 undemocratically implemented by Union government: Thorat - The Hindu

NEP-2020 undemocratically implemented by Union government: Thorat “The Union government has implemented the National Education Policy (NEP-2020) undemocratically, without consulting state governments. It is moving towards the complete centralisation of education,” said Prof. Sukhadeo Thorat, educationist and Chairman of the Commission for State Education Polic...

09/01/2026

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020: વિદ્યાપ્રીતિ વિરુદ્ધ વિચારધારા?

એનઈપી એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી નહીં પણ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના ધોરણે શું શું થઈ રહ્યું છે અને શું શું થઈ શકે, એનો અંદાજે અણસાર સુપ્રતિષ્ઠ મ.સ.યુનિવર્સિટી - વડોદરાએ સ્નાતક કક્ષાએ ચાલુ દિવસોમાં નરેન્દ્ર મોદી અને વિનાયક દામોદર સાવરકરનાં લખાણોને અભ્યાસવિષયમાં સમાવ્યાં એથી આવે છે. આમ પણ, ગુજરાતની શાળાઓમાં દીનાનાથ બત્રાનાં પુસ્તકો આ પૂર્વે જે રીતે દાખલ કરાયાં હતાં એમાં એનઈપી પૂર્વ સંકેતો મળી જ ચૂક્યા હતા. બત્રાનાં આ પુસ્તકો પૈકી એકમાં સારા સુલક્ષણા વિદ્યાર્થિની ઓળખ અને પરખ રૂપે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હોય એવું વિધાન ચહીને દાખલ કરાયું હતું. (જોકે સરકારી શિક્ષણ ખાતાને મળી રહેલાં 'સ્વતંત્ર'પરામર્શકોને એમાં કશું નોંધપાત્ર એટલે કે ટીકાપાત્ર જણાયું હોય તો આપણે જાણતા નથી.)
ખેર, બત્રા પ્રકરણથી હટીને હાલના દાખલા પર આવીએ તો મ. સ. યુનિવર્સિટીની ભૂમિકા કંઈક એવી જણાય છે કે આપણા અભ્યાસક્રમોનું સંધાન ભારત જોડે હોવું જોઈએ. સાવરકરની આત્મકથા દાખલ કરવા પાછળનો આશય તે હોવાનુંયે કહેવાયું છે. રવીન્દ્રનાથ અને જવાહરલાલથી માંડી મુષ્કરાજ આનંદને બીજા લેખકો દેશમાં યુનિવર્સિટી સ્તરે ખપમાં લેવાતા રહ્યા છે, અને તે માટે એનઇપી 2020ની જરૂર પડી નથી. નહીં કે સાવરકર અચ્છા લેખક નથી, અગર તો એમનો અભ્યાસ વર્જિત હોવો જોઈએ. માત્ર, જે ભારત છેડેથી પ્રદાનની દલીલ છે, એને માટે સાવરકરનો સમાવેશ તપાસ માગી લે છે. એમનો ઉમેરો સવિશેષ તો વિચારધારાકીય કારણોસર છે. ફરીથી કહું કે સાવરકરનો ગદ્યાખંડ, તે સાવરકરનો છે. એટલા માત્રથી જ અસ્વાકાર્ય ઠરતો નથી. માત્ર, 'ભારત'ની બાલાશ જાણવાને નામે વિચારધારાકીય પ્રક્ષેપ બાબતે વિદ્યાપ્રીતિવશ પ્રશ્ન ઉઠાવવો રહે છે.
એવું જ 'જ્યોતિપુંજ' અને 'મન કી બાત' બાબતે કહેવું રહે છે. દાખલ કરનારાએ કે કરાવનારાઓએ તો 'જ્યોતિપુંજ' વાંચ્યું જ હોય. પણ વિશાળ સમુદાયની જાણ માટે કહેવું રહે છે કે એ ગોળવલકર ગુરુજી જેવા સંઘ શ્રેષ્ઠીથી માંડી ગુજરાતમાં કામ કરી ગયેલા પ્રચારકો વિષયક ચરિત્ર લેખોનો સંગ્રહ છે. ચરિત્રાત્મક સાહિત્યના પરિચયની દૃષ્ટિએ એનો સમાસ કરાયો હોવાનું કહેવામાં આવ્યું છે. ભાઈ, જ્યારે એક જ વિચારધારાનાં વ્યક્તિત્વોનું પાઠ્યપુસ્તકમાં સ્થાન અપાય ત્યારે તે સમાવેશ સાહિત્યિક, ચારિત્ર્યિક અને શૈક્ષણિક કસોટી વટી જઈ ચોક્કસ રાજકીય વાજિંત્રનું રૂપ લે છે. ગુજરાત ચરિત્રનિબંધોએ રળિયાત છે. એવો કોઈ અલગ અલગ લેખકોમાંથી પસંદ કરેલ સંચય હોત અને એમાં 'જ્યોતિપુંજ' પૈકી કોઈકનો સમાવેશ હોત તો વિવેક જળવાયો હોત. એવું ન બને ત્યારે સ્વાભાવિક જ એમાંથી ભળતી બૂ આવવાની સંભાવના રહે છે.
જાણે આ પૂર્વે જાહેર જીવનમાં કે પાઠ્યક્રમમાં સ્વદેશવત્સલ કશું નહોતું એવા અભિનિવેશપૂર્વક શાસકીય હિલચાલ માલૂમ પડે છે ત્યારે કંઈક વ્યાપક ને મૂલગામી જાહેર બહસ તેમજ વિમર્શની જે પ્રક્રિયા ચાલવી જોઈએ તેનો ધોરણસરનો લાભ એનઈપી 2020ને મળ્યો જણાતો નથી. એક પ્રિય મુદ્દો હુકમરાનોને પક્ષે આ સંદર્ભમાં એ સામે આવતો રહ્યો છે કે આપણે સાંસ્થાનિક ને યુરોપકેન્દ્રી બંધનોથી ઊંચે ઊઠવું જોઈએ. સરસ સ્વદેશી સમાજ (રવીન્દ્રનાથ), હિંદ સ્વરાજ (મો.ક.ગાંધી) - જેનો હવાલો સરસંઘચાલક ભાગવત આપતા રહ્યા છે, તે શું છે? શાંતિનિકેતન અને કાલેલકર - કૃપાલાણીની ગૂજરાત વિદ્યાપીઠ શું હતાં ? ભારત છેડેથી અંગ્રેજી પાઠ્યક્રમમાં વિવેકાનંદ અને અરવિંદ સન્માન્ય સ્થાન પામતાં જ રહ્યાં છેઃ મ.સ.યુનિવર્સિટીએ આ બેનો સમાવેશ કરી કોઈ એનઈપી 2020 પહેલાં નહોતી એવી વાત તો કરી નથી.
નહીં કે શૈક્ષણિક નીતિનિર્ધારણ વિશે પુનઃ પુનઃ અવલોકન અને નવસંસ્કરણની જરૂર નથી. માત્ર, એને માટે રાજકીય અભિનિવેશપૂર્વકના વિચારધારાકીય વળગણથી છૂટવું જરૂરી છે. પૂર્વ કે પછી, આવી હર કોશિશ સફાઇલાયક હતી, છે અને રહેશે. થોભો અને રાહ જુઓ.

24/07/2025

બધાને જોડાવા હાર્દિક અપીલ

03/07/2025

Gujarat Education Portal Dr Kuber Dindor Gujarat Samachar Sandesh Divya Bhaskar Today Gujarat NewsGujarat Today Loksatta Jansatta NavGujarat Samay Vibes of India ગુજરાતી Press Trust of India - PTI The Times of India Indian Express BBC News Gujarati Jamawat Podcast

Want your school to be the top-listed School/college in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Shastinagar
Ahmedabad
380013

Opening Hours

Monday 10am - 4pm
Tuesday 10am - 4pm
Wednesday 10am - 4pm
Thursday 10am - 4pm
Friday 10am - 4pm
Saturday 10am - 4pm