27/04/2026
ગુજરાત ગૌ સેવા ગતિવિધિના પ્રાંત પ્રમુખ શ્રી સુરેશભાઈ નાયર તથા સુપ્રસિદ્ધ નાડી વૈદ્ય શ્રી મનજીતભાઈ બારોટની સંસ્થામાં વિશેષ મુલાકાત.
કાંકરેજ ગૌ મહોત્સવથી પધારેલા મહાનુભાવો સાથેની જ્ઞાનસભર ગોષ્ઠિમાં બાળકોએ આજે ગૌ મહિમા અને પંચગવ્યના મહત્વ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું હતું .
23/03/2026
મહા મહિનામાં ઉજવાયેલ જન્મ દિવસ સંસ્કાર..
23/03/2026
ફાગણ મહિનામાં ઉજવાયેલ જન્મ દિવસ સંસ્કાર..
04/03/2026
કુદરતી રંગોથી રંગાયું પંચકોશ: ધુળેટીની આનંદમય પળો
28/02/2026
ગાંધીનગર 'પ્રકૃતિ શિક્ષણ શિબિર' અને 'વસંતોત્સવ' ની એક યાદગાર મુલાકાત !
પ્રકૃતિ એ સૌથી મોટો શિક્ષક છે! આજે ૨૮-૦૨-૨૦૨૬ ના રોજ ઓજસ, નિર્ભય, નચિકેત, એકલવ્ય અને પ્રહલાદ વૃંદના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે આયોજિત 'પ્રકૃતિ શિક્ષણ શિબિર' અને 'વસંતોત્સવ' ની ઉત્સાહભેર મુલાકાત લીધી હતી.
પુસ્તકોમાં ભણાતા પર્યાવરણને આજે બાળકોએ નજર સમક્ષ નિહાળ્યું અને વન્યજીવન વિશે રસપ્રદ માહિતી મેળવી. પક્ષીઓના મધુર કલરવ અને વૃક્ષોની શીતળતા વચ્ચે વિદ્યાર્થીઓએ માત્ર કુદરતને જાણી જ નહીં, પણ પર્યાવરણ જતનનો સંકલ્પ પણ કર્યો.
વસંતોત્સવના રંગીન સાંસ્કૃતિક વારસાએ આ મુલાકાતમાં સોનામાં સુગંધ ભેળવી દીધી. સાચે જ, જ્યારે શિક્ષણ અનુભવ સાથે જોડાય છે ત્યારે તે કાયમી સંભારણું બની જાય છે! જ્ઞાન, મનોરંજન અને સંસ્કૃતિના અનોખા સંગમ સમો આ દિવસ વિદ્યાર્થીઓ માટે ખરેખર યાદગાર અને પ્રેરણાદાયી રહ્યો.
24/02/2026
તાજેતર માં નચિકેત વૃંદ ના બાળકોને બેટ દ્વારકા ખાતે યોજાયેલ બે દિવસીય દરિયાઈ પ્રકૃતિ શિક્ષણ શિબિર માં મોકલવામાં આવ્યા હતા. જેમાં બાળકોએ ઓક્ટોપસ, સ્ટાર ફિશ, વિવિધ માછલીઓ, ડોલ્ફિન, સમુદ્રી શેવાળ અને શંખ, કરચલા આવી ઘણી બધી પ્રજાતિઓનું નિરીક્ષણ કરી તેમના વિશે માહિતી મેળવી.
યુથ હોસ્ટેલ ગાંધીનગર તરફથી આયોજિત આ પ્રવાસમાં પંચકોષ ના બાળકો બીજા ગ્રુપ સાથે જોડાયા હતા.
06/02/2026
પંચકોષના બાળકોની અનોખી ઉદ્યોગ-સફર: સુરજા એલ્યુમિનિયમ અને મેડિકલ સર્જીકલ યુનિટની મુલાકાત!
એક તરફ, સુરજા એલ્યુમિનિયમ ખાતે બાળકોએ ધાતુને આકાર આપતી એન્જિનિયરિંગ કળા જોઈ, જ્યાં વિશાળ મશીનરી દ્વારા કાચા એલ્યુમિનિયમને ચોક્કસ પ્રોફાઇલ્સમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાએ તેમને મંત્રમુગ્ધ કર્યા. તો બીજી તરફ, મેડિકલ સર્જીકલ યુનિટમાં જીવનરક્ષક સાધનોના નિર્માણ પાછળની અત્યંત ચોકસાઈ અને કડક સ્વચ્છતાના ધોરણો વિશે ઊંડી સમજ મેળવી. એન્જિનિયરિંગની કાર્યક્ષમતાથી લઈને મેડિકલ વિજ્ઞાનની શુદ્ધતા સુધીની આ સફરે બાળકોમાં કુતૂહલ અને પ્રેરણા જગાડી છે હતી.પુસ્તકોથી પરે રહીને મેળવેલું આ વ્યવહારુ જ્ઞાન ખરેખર પંચકોષના ભાવિ સર્જકો માટે પથદર્શક સાબિત થશે.
03/02/2026
પુસ્તકથી પ્રયોગ સુધીનો અનુભવ: નચિકેત વૃંદના બાળકોની લેબ મુલાકાત
નચિકેત વૃંદના બાળકોએ તાજેતરમાં લેબોરેટરીની શૈક્ષણિક મુલાકાત લઈ, પુસ્તકમાં લખાયેલા પાઠોને પોતાની આંખે જોઈ અને હાથથી અનુભવી શીખવાની અનોખી તક મેળવી. શિક્ષણ માત્ર ચાર દિવાલો અથવા પાનાંઓ સુધી સીમિત ન રહે, પરંતુ અનુભવ અને અવલોકન દ્વારા જીવંત બને — તે ઉદ્દેશ્ય સાથે આ લેબ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. લેબોરેટરીમાં વિવિધ સાધનો, પ્રયોગો અને કાર્યપદ્ધતિઓને નજીકથી નિહાળી બાળકોમાં જિજ્ઞાસા જાગી, સમજશક્તિ મજબૂત બની અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો. આવી પ્રાયોગિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શનરૂપ બની, શીખવાને આનંદમય અને અર્થસભર બનાવે છે.