02/09/2024
સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી
વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન સી. એન . પરમાર બી. એડ. કોલેજ ,કોલક –ઉદવાડામા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલીમાર્થી ભાઈઓ /બહેનોએ દીપપ્રાગટ્ય, વક્તવ્ય, ગીતો, ભજન, રાસ, ગરબા, સમૂહનૃત્ય, શ્રી ક્રુષ્ણ જન્મનાટક રજૂ કરવામાં આવ્યું. જન્માષ્ટમી પર્વની ઉજવણીના કરી શ્રીક્રુષ્ણજન્મની કથા ગાથા કહેવામા આવી તેમજ આરતીગાઈ, આરતી ઉતારી પ્રસાદ ની વહેચણી કરી અને તાલીમાર્થીઓ દ્વારા મટકી ફોડી, ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું કરી અધ્યાપકો દ્વારા જન્માષ્ટમી પર્વની લગતા જુદા જુદા વકતવ્યો રજૂ કરી તાલીમાર્થીઓને જન્માષ્ટમી મહત્વ સમજવ્યુ. આ ઉજવણીના ભાગરૂપે કોલેજના ઈ.ચા આચાર્ય ડો.હંસાબેન જે. ગાંવિત અને સંસ્થાના ટ્ર્સ્ટીશ્રીઓ અને અધ્યાપકો દ્વારા તાલીમાર્થીઓને આશીર્વચનો પાઠવવામા આવ્યા.