13/06/2023
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત માઁ સરસ્વતી પ્રા. શાળા-24 /49 (સવાર/બપોર) શાળાનો "કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ" શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ , વડોદરા માઁ સરસ્વતી પ્રા.શાળા ગદાપુરા અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સયાજીગંજ 24/49 ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તા.13-06-23 ના રોજ " ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની " - 2023 ભવ્ય રીતે ઉજવાયો. આ પ્રસંગે વડોદરા અકોટા વિધાનસભા-143 ના પૂર્વ માન. શ્રી સીમાબેન મોહિલે , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માન. શ્રી મીના બા પરમાર , વૉર્ડ નં. 10 ના કોર્પોરેટર શ્રી નરવીરસિંહ ચુડાસમા , શ્રી સંગીતાબેન ચોકસી , શ્રી મહાલક્ષ્મીબેન શેટિયાર, લાઇઝન અધિકારી શ્રી ફતાભાઈ , સંકલન કાર ભરગાવભાઈ પંડ્યા , વોર્ડ પ્રમુખ શ્રી જયેશભાઇ પરમાર , વોર્ડ મહામંત્રી અરવિંદભાઈ પટેલ, શહેર મંત્રી શ્રી મેહુલભાઈ લાખાણી , કાર્યકર શ્રી સચિનભાઈ ઠક્કર , સ્વૈચ્છીક સંસ્થા "પગદંડ" ના સભ્યશ્રીઓ , વડોદરા રોટરી ક્લબ ના સભ્યશ્રી ઓ , દાતાશ્રી લક્ષ્મીબેન પરમાર અને ધર્મેશભાઈ પંચાલ , એસ.એમ.સી ના અધ્યક્ષ શ્રી અશોકભાઈ પરમાર , પ્રોમીનેન્ટ સભ્યો, એસ.એમ.સી.ના સભ્યો , મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી, બાળકોને કુમકુમ તિલક કરી ચોકલેટ થી મોં મીઠું કરાવી આંગણવાડીના 27 બાળકો , બાલવાડી 34 બાળકો , બાલવાટિકા માં 34 બાળકો અને ધો.1 મા 5 બાળકો તથા ધો 2 થી 8 મા 30 બાળકો થઈ કુલ આશરે 125 બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો. શાળાના વિદ્યાર્થી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ , વૃક્ષો આપણા મિત્રો , યોગનું મહત્વ, પ્રદુષણ ..... વિષય પર અમૃત વચન બોલવામાં આવ્યા. શાળાના ગત વર્ષ 2022/ 23 દરમિયાન ધોરણ 8 ના NMMS મા પાસ થયેલ 6 વિદ્યાર્થીઓ, ધોરણ 6 ના PSE માં પાસ થયેલ 8 વિદ્યાર્થીઓ , CET માં પાસ થયેલ 5 વિદ્યાર્થીઓ નું સન્માન પત્ર આપી સન્માનવામાં આવ્યું. ધોરણ 8 ના NMMS માં 1 વિદ્યાર્થી જે જિલ્લામાં પ્રથમ નંબરે આવેલ કુમાવત હિમાંશુ સંજય નું બહુમાન કરવામાં આવ્યું. જે જિલ્લાના મેરિટમાં પ્રથમ રેન્ક મેળવેલ હતો. ધો.3-8 ના સૌથી વધુ હાજરીવાળા વિદ્યાર્થીઓ નું સન્માન કરવામા આવ્યુ. આ અવસરે માન. શ્રી સીમાબેન મોહિલે અને શ્રી મીનાબા પરમાર દ્વારા બાળકોને માર્ગદર્શન સહ પ્રેરક આશીર્વચન પાઠવ્યા સાથે સાથે વિદ્યાર્થીઓ ને તૈયાર કરવા માટે સવારની શાળાના આચાર્ય શ્રી પ્રજ્ઞેશ કુમાર ઉપાધ્યાય અને તેમની ટીમ ને અભિનંદન આપ્યા. ત્યારબાદ બપોરની શાળાના આચાર્ય શ્રી પ્રિન્સભાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી. છેલ્લે મહેમાનશ્રી ઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું . આમ સયાજીગંજ શાળા 24 /49 નો આજનો કાર્યક્રમ " ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની" ભવ્ય રીતે ઉજવાયો. જે આપ સાહેબને વિદિત થાય.
11/06/2023
05/06/2023
05/06/2023
30/04/2023