આવનાર નવા શૈક્ષણિક સત્ર મા ઉડાન એજ્યુકેશન તરફ થી દરવર્ષ ની જેમ વિધાર્થીનીઓ ને સ્કૂલબેગ , ફુલસ્કેપ ચોપડા અને સ્ટેશનરી આપવાનું આયોજન થયેલ છે , તો ધો.5,6,7 માં આવનાર વિધાર્થીની જેનું result 75% હોઈ , આર્થીકરીતે મદદ ની જરૂર હોય , આજવા વાઘોડિયા રોડ પર રહેતી વિધાર્થીનીઓ એ સંપર્ક કરવો ..
મો: 9998008622
UDAAN Education
દિકરીઓ માટે "પાંખો નું વાવેતર" કરીએ છીએ , આવો જોડાવો અમારી સાથે
10/10/2025
ગુજરાતના સહયોગ કુષ્ઠ ટ્રસ્ટના સ્થાપક સુરેશ સોનીને તાજેતરમાં પદ્મ શ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે. તેમણે છેલ્લા 40 વર્ષોથી કુષ્ઠ રોગીઓ માટે નિઃસ્વાર્થ સેવા કરી છે - એવા લોકોની મદદ કરી છે, જેમને સમાજ કદાચ ભૂલી જાય છે.
સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ, ભારતનું એકમાત્ર કેન્દ્ર છે જ્યાં 1,000 થી વધુ કુષ્ઠ રોગીઓને એક જ જગ્યાએ સંભાળ મળે છે. 1978 માં રાયગઢ ગામમાં 31 એકર જમીન પર બનેલા આ ટ્રસ્ટમાં માત્ર કુષ્ઠ રોગી જ નહીં, પરંતુ વિકલાંગો, માનસિક રીતે બીમાર અને HIV+ દર્દીઓને પણ સહારો મળે છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બંગાળથી પણ લોકો આવે છે.
સુરેશે પોતાની સારી એવી નોકરી છોડી, આ બેસહારા લોકો માટે ઘર બનાવ્યું. આજે આ ટ્રસ્ટ 436 વિકલાંગો, 80 માનસિક રીતે બીમાર અને 26 HIV+ દર્દીઓ સહિત 1,000 થી વધુ લોકોની મદદ કરી રહ્યું છે. પરંતુ સુરેશ માત્ર કુષ્ઠ રોગીઓની જ નહીં, પરંતુ દરેક વ્યક્તિની મદદ કરે છે જે જીવનમાં સંઘર્ષ કરી રહ્યો છે - પછી ભલે તે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થયો હોય અથવા સમાજના દબાણથી ઝઝૂમી રહ્યો હોય.
તેમની પત્ની ઇન્દિરાબેન પણ આ સફરમાં તેમની સાથે છે. લગ્ન પહેલાં જ તેમણે એ સ્વીકારી લીધું હતું કે આ જીવન સાદગી અને સેવાનું હશે. આજે પણ તેઓ પૂરા દિલથી આ કામમાં જોડાયેલા છે.
સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રસ્ટ માત્ર લોકોના દાન પર ચાલે છે, સરકારી ફંડ નથી લેતું - આ લોકોના ભરોસા અને સહયોગની તાકાતને દર્શાવે છે.
આજે 80 વર્ષની ઉંમરે પણ સુરેશની ઉર્જા તેવી જ છે. તેમણે આ ટ્રસ્ટને તેમના માટે એક સુરક્ષિત ઘર બનાવી દીધું છે, જેમને સમાજે ત્યજી દીધા હતા.
સુરેશ સોનીની કહાની આપણને શીખવે છે કે માનવતાની સેવા સૌથી મોટો ધર્મ છે. આપણે આપણા સમાજના એવા લોકોની મદદ કરવી જોઈએ, જે જરૂરિયાતમંદ છે અને જેમને સમાજે ત્યજી દીધા છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં હાર ન માનવી જોઈએ અને આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરતા રહેવું જોઈએ.
[ Padma Shri, Heroes of Humanity, Inspiring, Gujarat, Social Impact, Unsung Heroes, Leprosy Care]
27/09/2025
એક એવા ડોક્ટર જે દર્દીને હકિકતમાં દર્દીનારાયણ માને છે.
મારે પુત્ર આદિત્યને શરદી/ઉધરસ જેવું હોય જેથી ગોપાલ જનરલ હોસ્પીટલ જે વરાછા ખાતે મારૂતી સર્કલ પાસે, સંતોષીનગર સામે, ભગીરથનગર સોસાયટી વિ-૧ ખાતે આવેલ છે ત્યા જવાનું થયુ.
ત્યા ડોક્ટરશ્રી સંજયભાઈ હાજર હતાં, એમની દર્દી પ્રત્યેની લાગણી, સારવાર કરવાની પદ્ધતિ અને સેવા વિશે અવારનવાર વાત સાંભળેલી.
એમને મળ્યો તો મેં એમની સરતા અને સાદગી જોઈ, એમને ત્યા જે દર્દી હતાં એમની પાસેથી અભિપ્રાય લીધો તો દરેક લોકો એમનાં વખાણ કરતા થાકતા ન હતા.
બાદ હું જ્યારે ડો. શ્રીસંજયભાઈ પાસે બેઠો હતો ત્યારે એક આશરે પંચાવન વર્ષ જેટલી ઉંમરનાં વડીલ આવે છે અને શ્રી સંજયભાઈને પોતાનાં ખીસ્સામાથી કાઢીને પૈસા આપે છે અને કહે છે કે... " તમે સારવાર કરી અને મારી ઘણી સેવા કરી, ત્યારે ખરેખર મારી પાસે પૈસા ન હતાં અને તમે ઓળખતા ન હતાં તો પણ પૈસા બાકી રાખ્યા" આવુ બોલતા બોલતા એ માણસનાં ગળે ડૂમો આવી જાય છે અને આંખમાં આંસુ આવી જાય છે ડૉ.શ્રી સંજયભાઈએ આપેલ પૈસામાથી પાંચસો રૂપિયા પરત આપી, ઉભા થઈને એમને ભેટી પડે અને બાજુમાં પડેલ પાણીની બોટલ આપી પાણી પીવડાવે છે.
એ સિવાય ઉપરનાં બીજા માળે જનરલ વોર્ડ છે ત્યા દાખલ થયેલ દર્દીઓ પાસેથી વોર્ડનો કોઇ ચાર્જ લેવામાં નથી આવતો, આ દવાખાનું રાત દિવસ એટલે કે 24×7 કલાક ચાલુ જ હોય છે.
ઉપરાંત ત્યા એક આઉટસ્ટેટનાં દર્દીનો બેડ હતો તે જણાવે કે, "મારી પાસે પુરતા પૈસા નથી, મેં દાખલ થતા પહેલા ડૉ. સાહેબને આ અંગે જણાવતા તેમણે કહેલ કે, કંઈ વાંધો નહિ, એ પછીની વાત છે, પહેલા તમારી સારવાર અગત્યની છે, એ ચાલુ કરી દઈએ, પૈસા બિલકુલ નહિ હોય તો પણ ચાલશે."
આવી ઘણીબધી ઘટના છે જેમા ડૉ. સંજયભાઈની સેવા ઉજાગર થાય છે.
હું ત્યા ગયો એ પહેલા ડૉ.સંજયભાઈનો મારા ફોનમાં નંબર પણ સેવ ન હતો અને અગાઉ કોઈ મુલાકાત પણ નથી થઈ, અને કોઇ સગા પણ નથી, પરંતુ આવા સમયમાં આવા ડોક્ટરો અને આવી હોસ્પીટલોને બિરદાવવી, એની સેવાની ફોરમને વધુ માણસો સુધી પહોંચાડી એનો ઉત્સાહ ન વધારી શકીએ તો આપણી કળા કે આવડત શી કામની.
કોઈ આવી સેવા કરે તો એને બિરદાવવાનાં ક્યાં પૈસા થાય, આપણે એમણે સોશિઅલ મીડીયાનાં પ્લેટફોર્મ ઉપર બિરદાવશું તો એમનો ઉત્સાહ વધશે, લોકોની વધુ સેવા કરવા પ્રેરાશે.
કોઈ સારુ કામ કરે તો તરત એમની એક પોસ્ટ કરી દઈએ તો આપણું કશું નથી જવાનું પણ એ માણસની અંદર એક નવી ઊર્જાનો સંચાર થાય, ભલે એ આપણા મિત્ર કે સગા ન હોય કે ઓળખીતા ન હોય.
ડૉ.શ્રી સંજયભાઈ અને એમની ટીમને ખુબ ખુબ અભિનંદન, આપની સેવાને હજારો વંદન. આપ આ રીતે સેવા કરતા રહો એવી પ્રાર્થના.
અને હા, ડૉ.શ્રી સંજયભાઈ કહે છે કે, હું ખુબ સામાન્ય પરીવારમાથી આવુ છું, મે દુખ જોયુ છે, સંઘર્ષ જોયો છે, ઈશ્વરે મને અહીં સુધી પહોંચાડ્યો છે તો હું આ રીતે સેવા કરી ઈશ્વરનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. - B.n Bhai
🙏🏻 જય દ્વારકાધીશ
23/06/2025
પુસ્તક વાંચવું એ ફિલ્મ કે સિરીઝ જોવા કરતા પણ વધુ રોમાંચક હોય છે. પુસ્તક વાંચતી વખતે કોઈ પણ દ્રશ્ય, પાત્ર કેવું લાગતું હશે એ તમે પોતે ઇમેજિન કરો છો. તમે હેરી પોર્ટર જુઓ અને વાંચો એમાં ઘણો ફરક આવે.
આવી જ રીતે સૌરાષ્ટ્રની રસધાર તમે વાંચી હોય અને એમાં જે પાત્રો કલ્પ્યા હોય એ એના પર ફિલ્મ બને તો એટલા સારા ના જ લાગે. આવી જ રીતે હોરર પુસ્તક વાંચવું એ ફિલ્મ જોવા કરતા ઘણું ડરાવાણું સાબિત થઈ શકે.
નવલકથા વાંચતી વખતે મગજમાં તમે તમારી એક દુનિયા બનાવો છો. એ દુનિયાની આસપાસ પાત્રો અને વાર્તા વણાતી જાય છે. વળી, આ નવલકથા કેટલી ડિટેઇલમાં લખાણી છે એના પર જ આધાર હોય છે
જેમ કે " મેં દરવાજો ખોલ્યો.." એમાં મેં એટલે બધા પોતાને કે લેખકને કલ્પે.. દરવાજો કેવો છે એનું વર્ણન નથી એટલે પરિસ્થિતિ પ્રમાણે દરવાજાને પણ કલ્પે, વળી કેમ ખોલ્યો એ પણ બધા માટે અલગ અલગ હોય.
આ જ વસ્તુ ફિલ્મમાં ડાયરેક્ટ જે રીતે બતાવે એ જોઈ લેવું પડે અને એ જ બરાબર લાગે.
તમે કોઈ નવલકથા વાંચી હોય અને પછી એના પર ફિલ્મ બન્યું હોય એવું ફિલ્મ જોયું છે? કેવું લાગ્યું?
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Telephone
Website
Address
390019