District education office Surat

District education office Surat

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from District education office Surat, Education Website, અઠવા લાઇન્સ, Surat.

Photos from District education office Surat's post 27/05/2026

📚 Back to School Mission અંતર્ગત મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ

આજ રોજ વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડાયેલા રાખવા માટેના સુવ્યવસ્થિત આયોજન સંદર્ભે માનનીય જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર સાહેબની અધ્યક્ષતામાં વનિતા વિશ્રામ કેમ્પસ ખાતે રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં શાસનાધિકારીશ્રી ધર્મેશભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષકો, વર્ગ-૨ આચાર્યશ્રીઓ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, પ્રાથમિક નિરીક્ષકો, URC, CRC, બ્લોક MIS સહિતના શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ રિવ્યૂ બેઠક દરમિયાન વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે Pre-Planning અંગે ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું. તેમજ વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેથી વિધાર્થીઓ શિક્ષણ સાથે ફરી જોડાય એ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

માનનીય જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત ન રહેવા દેવા માટે અસરકારક કામગીરી અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું.



26/05/2026

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર સાહેબ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના વધતા ડ્રોપ આઉટ મુદ્દે ABP અસ્મિતા ન્યૂઝ ચેનલના લોકપ્રિય ડિબેટ કાર્યક્રમમાં તર્કસભર અને માર્ગદર્શક પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા.

શિક્ષણ ક્ષેત્ર પ્રત્યેની તેમની સંવેદનશીલતા, દુરંદેશી વિચારસરણી તથા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેની ચિંતા પ્રશંસનીય છે.આવો રચનાત્મક અભિગમ સમાજ અને શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ બની રહે તેવી શુભેચ્છાઓ.




07/05/2026

નવી ૩ સરકારી માધ્યમિક શાળાઓના બિલ્ડીંગના બાંધકામ માટેની મંજૂરી મળતા વેલંજા, કામરેજ તથા કઠોદરા વિસ્તારમાં આનંદ સાથે વધામણા.

02/05/2026

માનનીય શિક્ષણ મંત્રીશ્રી દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ -૧૨ ની પરીક્ષાના પરિણામ અંગેની જાહેરાત કરાઈ.

Photos from District education office Surat's post 26/04/2026

📚✨ વિદ્યાર્થીઓ માટે “મજાનું વેકેશન” – સર્જનાત્મક પહેલ ✨📚
Children's University દ્વારા તૈયાર કરાયેલ “મજાનું વેકેશન” નામનું વેકેશન પ્રવૃત્તિ સંગ્રહ મેગેઝીન સુરત જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી, સુરત ડૉ. ભગીરથસિંહ પરમાર સાહેબ દ્વારા શાળાઓને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. તેમજ આ મેગેઝીનની સોફ્ટ કોપી પણ દરેક શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન રચનાત્મક, શૈક્ષણિક અને આનંદદાયક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે.

Photos from District education office Surat's post 24/04/2026

📚 સુરત જિલ્લાની ગ્લોબલ માધ્યમ શાળાઓ માટે માર્ગદર્શન બેઠક યોજાઈ ✨

સુરત જિલ્લામાં ચાલી રહેલી ગ્લોબલ માધ્યમની શાળાઓના આચાર્યશ્રીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શન બેઠકનું આયોજન ધ રેડિયન્ટ સ્કૂલ, ઉગત કેનાલ રોડ, સુરત ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર સાહેબ, શિક્ષણ નિરીક્ષકશ્રી નિહારિકાબેન પટેલ તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી બર્મનભાઈ અને હેતલબેન ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

🔹 બેઠક દરમિયાન ગ્લોબલ માધ્યમની શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ, શૈક્ષણિક નવીનતા, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, શૈક્ષણિક ધોરણો જાળવવા
વિષયક અગત્યની બાબતો પર વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

🔹 ઉપરાંત શાળાઓમાં નિયમિત શૈક્ષણિક પ્રક્રિયા, મૂલ્યાંકન પદ્ધતિ અને શિસ્ત જાળવવા અંગે પણ ઉપયોગી સૂચનાઓ આપવામાં આવી.

આ બેઠકમાં ઉપસ્થિત તમામ આચાર્યશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા, જેના આધારે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું.

👉 આ પ્રકારની માર્ગદર્શન બેઠક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે નિશ્ચિત રૂપે મહત્વપૂર્ણ સાબિત થશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી.

26/03/2026

🌟 સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમ – સુરત 🌟
માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોર્પોરેટર શ્રીમતી કૈલાશબેન સોલંકી, વોર્ડ નં. ૧૬ ભાજપ પ્રભારી શ્રીમતી માયાબેન માવાણી, ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ શ્રીમતી મમતાબેન લિલિયાવાળા, ડૉ. ઇલાબેન મેઘાણી તથા ડૉ. મનીષાબેન પટેલ સહિતના આગેવાનોની માનનીય ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું.
આ યોજનાના અંતર્ગત કુલ ૮૩ પ્રતિભાશાળી અને જરૂરિયાતમંદ દીકરીઓને રૂ. ૬,૫૪,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવી હતી, જે યુવતીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના મહત્વપૂર્ણ પ્રયાસનો ભાગ છે.
આ ઉમદા કાર્ય માટે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ તથા માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે સમાજના વિકાસ અને દીકરીઓના શિક્ષણ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આ સફળ કાર્યક્રમ માટે તમામ મહાનુભાવોના સહકાર અને ઉપસ્થિતિ બદલ હૃદયપૂર્વક આભાર.


સુરત જિલ્લાના 29 જનજાતિય વિદ્યાર્થીઓને ઈસરો શ્રીહરિકોટા મુલાકાતે લઈ જતાં ખુશી 26/03/2026

🚀 ગર્વની પળ 🚀
સુરત જિલ્લાના કુલ ૨૯ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ “વિજ્ઞાન સેતુ આદિવાસી સિતારે” યોજના હેઠળ હવાઈ મુસાફરી દ્વારા ભારતની અગ્રણી અવકાશ સંસ્થા ISROની મુલાકાત લેવાની અનોખી તક મેળવી છે. ✈️🌌
આ પ્રેરણાદાયી પહેલ દ્વારા આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને તેઓ ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે તેવો ઉમદા હેતુ છે.
આ તમામ વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ 💐

સુરત જિલ્લાના 29 જનજાતિય વિદ્યાર્થીઓને ઈસરો શ્રીહરિકોટા મુલાકાતે લઈ જતાં ખુશી સુરત જિલ્લાના 29 જનજાતિય વિદ્યાર્થીઓને ઈસરો શ્રીહરિકોટા મુલાકાતે લઈ જતાં ખુશી

સુરતના 29 આદિવાસી વિદ્યાર્થીઓ ઈસરો પહોંચ્યા | Pradesh24 Gujarati 26/03/2026

🚀 ગર્વની પળ 🚀
સુરત જિલ્લાના કુલ ૨૯ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ “વિજ્ઞાન સેતુ આદિવાસી સિતારે” યોજના હેઠળ હવાઈ મુસાફરી દ્વારા ભારતની અગ્રણી અવકાશ સંસ્થા ISROની મુલાકાત લેવાની અનોખી તક મેળવી છે. ✈️🌌
આ પ્રેરણાદાયી પહેલ દ્વારા આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને તેઓ ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે તેવો ઉમદા હેતુ છે.
આ તમામ વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ 💐

સુરતના 29 આદિવાસી વિદ્યાર્થીઓ ઈસરો પહોંચ્યા | Pradesh24 Gujarati સુરતના 29 આદિવાસી વિદ્યાર્થીઓ ઈસરો પહોંચ્યા | Pradesh24 Gujaratiસુરત જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ માટે આજનો દિ....

Photos from District education office Surat's post 22/03/2026

📢 નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના – દીકરીઓ માટે સુવર્ણ તક! 🌸
ગુજરાત સરકાર દ્વારા અમલમાં આવેલી નમો લક્ષ્મી સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દરેક દીકરીઓને આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ આપવામાં આવે છે. 🎓
આ યોજના દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેથી કોઈ પણ દીકરી આર્થિક પરિસ્થિતિના કારણે અભ્યાસથી વંચિત ન રહે. 💫





Photos from District education office Surat's post 16/03/2026

📚 સુરત જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સમીક્ષા બેઠક યોજાઈ
તા. ૧૫/૦૩/૨૦૨૬ (રવિવાર) ના રોજ સુરત જિલ્લાની તમામ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરતના શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર સાહેબની અધ્યક્ષતામાં સંસ્કાર વિદ્યાલય – પલસાણા ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરતના શિક્ષણ નિરીક્ષક વસુમતીબેન પટેલ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક મીતાબેન ગોસ્વામી દ્વારા સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠક દરમિયાન NEP–2020 અંતર્ગત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થયો:
• શિક્ષણની ગુણવત્તામાં સુધારણા
• ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના પ્રયાસો
• સરકારી માધ્યમિક શાળાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના પ્રયત્નો
• આગામી વર્ષના પ્રવેશોત્સવ અંગે આયોજન
• નવી સરકારી શાળાઓની વ્યવસ્થા
• વિવિધ સ્કોલરશીપ યોજનાઓનું કાર્ય સમયસર પૂર્ણ કરવાની બાબત
• પ્રબંધ પોર્ટલ સંબંધિત કામગીરી
• વાર્ષિક નિરીક્ષણ
• શાળાકીય તથા બોર્ડ પરીક્ષાઓ
• પરિણામ સુધારણા અંગે માર્ગદર્શન
*વિવિધ સરકારી યોજનાઓના અમલ બાબતે માર્ગદર્શન.
કાર્યક્રમ દરમિયાન સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકમિત્રો ભરતભાઈ રાઠોડ અને હીનાબેન દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ મદદનીશ શિક્ષણ નિરીક્ષક રૂપલભાઈ બર્મન અને દેવરાજભાઈ ઉકાણી દ્વારા પણ મહત્વપૂર્ણ પ્રતિભાવો આપવામાં આવ્યા.
આ પ્રસંગે સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા રેગામાના આચાર્યશ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ તથા સરકારી માધ્યમિક શાળા ઝેરવાવરાના આચાર્યશ્રી હિમાંશુભાઈ બારોટ દ્વારા પોતાના અનુભવો રજૂ કરી માર્ગદર્શક વિચારો વ્યક્ત કરવામાં આવ્યા.
આ ઉપરાંત શિક્ષણ નિરીક્ષકશ્રીઓ પ્રિતેશભાઈ મિસ્ત્રી, નિહારિકાબેન પટેલ, જગદીશભાઈ ચાવડા અને અંજનાબેન ચૌધરીએ પ્રસંગોચિત ઉદબોધન આપી શિક્ષણક્ષેત્રના વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. ભગીરથસિંહ પરમાર સાહેબ દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લગતી વિવિધ બાબતો પર જીણવટપૂર્વક ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમના અંતે શિક્ષણ નિરીક્ષક મહેશભાઈ દેસાઈ દ્વારા આભારવિધિ કરવામાં આવી.
આ સફળ કાર્યક્રમ માટે સુંદર આયોજન અને વ્યવસ્થા બદલ યજમાન શાળા સંસ્કાર વિદ્યાલય – પલસાણાના ટ્રસ્ટી જીવરાજભાઈ તથા આચાર્યશ્રી જયેશભાઈ ત્રિવેદીનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.




Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Address

અઠવા લાઇન્સ
Surat

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm