11/08/2026
પ્રતિભા પર્વ – સર્જનથી સફળતા 2026 અંતર્ગત આંતરશાળા સ્પર્ધાઓ
નવચેતન વિદ્યાલય, જૂનાગામ (શિવરામપુર) ખાતે તા. 10 ઓગસ્ટ, 2026 સોમવાર ના રોજ “પ્રતિભા પર્વ – સર્જનથી સફળતા 2026” અંતર્ગત આંતરશાળા વિવિધ સ્પર્ધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે AMNS.ના CSR વિભાગના શ્રી કિરણસિંહ સિંધા CSR હેડ , જયંતીભાઈ ચૌધરી, સ્મિતભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ ટ્વિંકલબેન પટેલ, અનિતાબેન પટેલ તેમજ CSR ટીમ ટીમ ઉપસ્થિત રહી હતી. મંડળના કારોબારી સભ્ય રતિલાલ ભાઈ પટેલ, નવચેતન વિકાસ મંડળના સહમંત્રી શ્રી બિપિનચંદ્ર પટેલ સાહેબ ,નવચેતન વિદ્યાલય ના આચાર્ય શ્રી સતિષભાઈ બી પટેલ સાહેબ, સ્ટાફ ગણ , અન્ય શાળાના આચાર્ય , નિર્ણાયકો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ CSR વિભાગના મહેમાનો તેમજ વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા શિક્ષકો અને નિર્ણાયકોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવચેતન વિદ્યાલયના આચાર્યશ્રી સતિષભાઈ બી. પટેલ સાહેબ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રતિભાઓને ઉજાગર કરવા અને તેમને પોતાની સર્જનાત્મકતા રજૂ કરવા માટે ક્વિઝ સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા, ડિબેટ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા દેશભક્તિ ગીત સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં અન્ય શાળાઓમાંથી નવચેતન વિદ્યાલય જૂનાગામ, નવચેતન ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગામ, નવ જાગૃતિ વિદ્યાવિહાર હજીરા, શારદા વિદ્યાલય ઈચ્છાપોર, મયુરધ્વજ મોરા, ડી એલ કે શાહ સંજીવની હાઇસ્કુલ દામકા આમ છ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિવિધ સ્પર્ધાઓમાં અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા, વક્તૃત્વકૌશલ્ય, તર્કશક્તિ અને દેશપ્રેમની ભાવનાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાઓનું નિર્ણાયકશ્રીઓ દ્વારા નિષ્પક્ષ અને યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે નિર્ણાયકોને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. મહેમાનો તથા આચાર્યશ્રીએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ, શિસ્તબદ્ધ અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. “પ્રતિભા પર્વ – સર્જનથી સફળતા 2026” અંતર્ગત યોજાયેલી આ આંતરશાળા સ્પર્ધાઓ વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા તથા તેમની અંદર રહેલી વિવિધ ક્ષમતાઓને વિકસાવવા માટે એક ઉત્તમ અને યાદગાર મંચ સાબિત થઈ હતો.
નિર્ણાયકો –
દિલીપભાઈ પટેલ ( પ્રચાર્યશ્રી ભગવાન મહાવીર બીએડ કોલેજ વેસુ)
જયેશભાઈ પટેલ ( આચાર્યશ્રી મહાવીર આસ્તિક વિદ્યાલય ગોડાધરા )
હેતલભાઈ એસ પટેલ ( ડ્રોઈંગ શિક્ષક શ્રી મહેશસિંહ આસ્તિક વિદ્યાલય ગોડાધરા)
રામસિંગભાઈ ગામીત
અનિતાબેન ગામીત
*વિજેતાઓનું પરિણામ –
વકૃત્વ સ્પર્ધા
રાજપુરોહિત હર્ષીતા દીવાકર - મયુર ધ્વજ વિદ્યાલય મોરા
પટેલ આકાશી નવીનભાઈ - નવચેતન વિદ્યાલય જુનાગામ
ઓઝા રિતેશ સચ્ચિદાનં - નવચેતનઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગામ
*દેશભક્તિ ગીત સ્પર્ધા
1. વાઘરી તેજલ નરેશભાઈ - નવચેતન વિદ્યાલય જુનાગામ
2. પટેલ શ્રુતિ મહેશભાઈ - ડી એલ કે શાહ સંજીવની હાઇસ્કુલ દામકા
3 પટેલ નેન્સી અભિમન્યુ - વિદ્યાલય શારદા વિદ્યાલય ઈચ્છાપોર
*ડિબેટ સ્પર્ધા
1. પાસવાન મુસ્કાન અમર – નવચેતન વિદ્યાલય જુનાગામ
2. મિશ્રા અંજલી ચંદ્રભૂષણ – મયુર ધ્વજ વિદ્યાલય મોરા
3. પટેલ ફલક નીતિનભાઈ – ડી એલ કે શાહ સંજીવની હાઇસ્કુલદામકા
*ક્વિઝ સ્પર્ધા
1. પટેલ રિયા પ્રવીણભાઈ - નવચેતન વિદ્યાલય જુનાગામ
પટેલ હેલીના ભાવેશભાઈ
વાજા મોનિકા ઉકાભાઇ
2 મનજી પાંડે - નવચેતનઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગામ
ચૌધરી અમિત
રાવલ શિવરાજ હરદેવ
3 . ભગત અમ્રિતા મનોજ - મયુર ધ્વજ વિદ્યાલય મોરા
સહિર દર્શિલ હસમુખભાઈ
પટેલ તનમય અજીતભાઈ
*ચિત્ર સ્પર્ધા
1. શર્મા ખુશ્બુ સતિષ - નવચેતનઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગામ
2. પટેલ જીલ જીતેન્દ્રભાઈ – ડી એલ કે શાહ સંજીવની હાઇસ્કુલદામકા
૩. મૈસુરિયા ક્રિષા કિશોરભાઈ - નવચેતન વિદ્યાલય જુનાગામ