19/03/2026
Navchetan Vidhyalaya,junagam
Navchetan vidyalay
19/03/2026
09/03/2026
તારીખ 7 3 2026
વાર શનિવાર
વિષય ડાયનામિક વોરિયર
નમસ્કાર આજરોજનો નવચેતન વિદ્યાલય ખાતે ડાયનામિક વોરિયર્સ માંથી શ્રેયાંસ પાલવડેસર તેની સંસ્થાનું 501 નું સેંશન લેવા માટે નવચેતન વિદ્યાલયમાં પધાર્યા હતા તેમને આ સેશન દરમિયાન નવચેતન વિદ્યાલય ની બાળકીઓને જ્યારે રોડ રસ્તા કે કોલેજ કે સ્કૂલ કે કોઈપણ જગ્યાએ છેડખાની થતી હોય કે તેમના પર અલગ અલગ કોમેન્ટ પાસ કરવામાં આવતા હોય તેની સામે તેમને કઈ રીતે અને કેવો જવાબ આપવો અને આ બધાથી કેવી રીતે બચવું તે માટેની ટ્રેનિંગ આપી હતી તેમજ આ ટ્રેનિંગ અંતર્ગત તેમને લડવા માટેની અલગ-અલગ સ્ટ્રિક પ્રેક્ટિકલી તેમજ થિયરીકલની ટ્રેનિંગ પણ આપેલી હતી તેમજ આ રીતે આજનો આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
06/03/2026
Shell Nxplores center Of Excellence Science Carnival Surat 2025 - 2026
નવચેતન વિદ્યાલયમાં શેલ કંપની, Leanrning links foundation, અને કાંઠા વિસ્તાર સાતત્ય પૂર્ણ વિકાસ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓ માટે આ Nxplores center Of Excellence ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં વિદ્યાર્થીઓને વિશ્વ ની સળગતી સમસ્યાઓનો ઉકેલ શોધી દેશના વિકાસમાં સહભાગી થવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
તારીખ 06/03/26 ને શુક્રવારના રોજ Shell Nxplores center Of Excellence અને Leanrning links foundation, દ્વારા લાયન્સ ક્લબ અડાજણ સુરત ખાતે સાયન્સ કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મનીષ ત્યાગી સાહેબ, શ્રી મહિન્દ્ર પટેલ સાહેબ, ડૉ. મીતા મેડમ, ડૉ. ઉર્વી પટેલ મેડમ અને શ્રી સાઈરામ સર ઉપસ્થિત રહ્યા હતા. નવચેતન વિદ્યાલયની ધોરણ નવ ની વિદ્યાર્થિનીઓ આહિર નિયતી શૈલેષભાઈ અને પટેલ રિયા પ્રવિણભાઈ દ્વારા MAGNO GROW કૃતિ ની રજૂઆત કરવામાં આવી હતી. Shell Nxplores center Of Excellence ના ઈન્સટ્રક્ટર જિગીશાબેન અને શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષિકા દર્શનાબેન પટેલ દ્વારા આ વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
MAGNO GROW મા મેગ્નેટિક પાણી દ્વારા ખેતી કરવામાં આવે છે. મેગ્નેટિક પાણી મેગ્નેટિક ક્ષેત્રમાંથી પસાર કરાયેલ પાણી, જેમાં આયનના વર્તનમાં ભૌતિક ફેરફાર થાય છે . જેનાથી ક્ષારીય ભૂમિમાં ફેરફાર કર્યા વિના પાકની ગુણવત્તા સુધારી શકાય છે.સુરત જિલ્લા ની Nxplores center Of Excellence અંતર્ગત જોડાયેલી 20 જેટલી શાળાઓએ આ સાયન્સ કાર્નિવલ મા ભાગ લીધો હતો.જુદી જુદી શાળામાંથી કાર્નિવલ નિહાળવા આવેલ વિદ્યાર્થીઓ આ પ્રદર્શન જોઈને ખુબ પ્રભાવિત થયા હતા.
Nxplores center Of Excellence દ્વારા હેન્ડ્સ-ઓન લર્નિંગ વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ નહીં, પરંતુ વ્યવહારુ અનુભવ મળી રહે જ છે પરંતુ આ સાયન્સ કાર્નિવલ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા માટે ખૂબ ઉપયોગી નીવડશે. આ સાયન્સ કાર્નિવલથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે નવો ઉત્સાહ જાગ્યો છે અને તેઓ વધુ પ્રયોગો કરવા તૈયાર થયા છે.આ કાર્નિવલે સાબિત કર્યું કે “વિજ્ઞાન જીવનનો આધાર છે અને તેનાથી જ વિકાસ શક્ય છે.”
24/02/2026
તારીખ.20/2/2026
વાર.શુક્રવાર
વિષય: રોડ સેફ્ટી અવર્નેસ વીક
નમસ્કાર આજરોજ નવચેતન વિદ્યાલય શિવરામપુર ખાતે રોડ સેફ્ટી અવર્નેસ વીક અંતર્ગત અદાણી કંપની દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સિકંદર સિંગ રાઠોડ સાહેબ અને નીલ મંકોડી સાહેબ એ હાજરી આપી હતી અને બાળકોને રોડ ઉપર ગાડી ચલાવા કેટલા વર્ષે લાઈસન્સ મળે તેમજ રોડ પર ચાલતી વખતે અને ક્રોસ કરતી વખતે કઈ બાબતો ની કાળજી લેવી જોઈએ આવી અવનવી માહિતી આપી હતી અને બાળકોને અનેક રોડ સેફ્ટી વિશે પ્રશ્નો પણ પૂછ્યા હતા. જેમાં જે વિદ્યાર્થીમિત્રો સાચા જવાબો આપ્યા તેને પ્રોત્સાહન રૂપે કેપ 🧢નું ઇનામ પણ આપવામાં આવ્યું હતું.આ રીતે આ કાર્યક્રમ સફળતા પૂર્ણ પૂરો થયો હતો.
22/02/2026
🌟 નવચેતન વિદ્યાલય, જુનાગામ ખાતે 'પ્રોજેક્ટ સારથી' અંતર્ગત ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓનો પ્રેરણાદાયી વિદાય સમારોહ 🌟
નવચેતન વિદ્યાલય, જુનાગામમાં તારીખ ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ 'પ્રોજેક્ટ સારથી' હેઠળ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર વિદાય અને શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
✨ કાર્યક્રમની વિશેષતાઓ:
મેન્ટર્સના આશીર્વાદ: આ કાર્યક્રમમાં 'L&T-iers' (L&T ના સ્વયંસેવકો) જેઓ વિદ્યાર્થીઓના સાચા મેન્ટર છે, તેમણે પોતાના 'પાર્થ' સમાન વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
મનોમંથનનું પરિણામ: પ્રોજેક્ટ સારથી જેમના મનોમંથનનું પરિણામ છે, તેવા મુખ્ય વક્તા શ્રી મહેશભાઈ જોશી સાહેબે (GM, CSR - L&T) વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા.
ધર્મગ્રંથોનું મહત્વ: શ્રી મહેશભાઈ જોશીએ મહાભારત અને રામાયણના વાચન પર ભાર મૂકતા જણાવ્યું કે જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન આ ગ્રંથોમાં છે અને વિદ્યાર્થીઓને સતત 'કર્મ' કરતા રહેવા પ્રેરણા આપી હતી.
પ્રોજેક્ટની સફળતાનો ચિતાર: શ્રીમતી માનસીબેન દેસાઈએ સમગ્ર વર્ષ દરમિયાન 'પ્રોજેક્ટ સારથી' અંતર્ગત થયેલી વિવિધ પ્રવૃત્તિઓનો સુંદર ચિતાર રજૂ કર્યો હતો.
ભાવુક પ્રતિભાવો: કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, L&T-iers અને વાલી મિત્રોએ પોતાના હૃદયસ્પર્શી અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.
વિશેષ ભેટ: ધોરણ ૧૦ ના તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે જરૂરી કિટ (ચોકલેટ, પાટિયું અને બોલપેન,વોટર બોટલ) આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આચાર્ય શ્રી સતિષભાઈ પટેલ, મંત્રી શ્રી રમેશભાઈ પટેલ અને L&T ની CSR ટીમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સંજયભાઈ પ્રજાપતિએ કર્યું હતું.
અમે અમારા તમામ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ છીએ! 🎓💐
📍 સ્થળ: નવચેતન વિદ્યાલય, જુનાગામ
🤝 સહયોગ: L&T હજીરા (CSR ટીમ)
11/02/2026
✨ "ધરોહર" - વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ | નવચેતન વિદ્યાલય | "DHAROHAR" - Annual Function
નમસ્કાર મિત્રો! 🙏
નવચેતન વિદ્યાલય અત્યંત ગર્વ અને આનંદ સાથે પ્રસ્તુત કરે છે અમારો ભવ્ય સાંસ્કૃતિક વાર્ષિકોત્સવ - "ધરોહર".
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને મૂલ્યોને ઉજાગર કરવાનો હતો. આપણા વિદ્યાર્થીઓએ અથાગ મહેનત અને ઉત્સાહ સાથે નૃત્ય, નાટક અને સંગીત દ્વારા "ધરોહર" ની થીમને જીવંત કરી છે.
આ વિડીઓમાં તમે વિદ્યાર્થીઓનું અદભૂત પ્રદર્શન અને તેમની પ્રતિભા જોઈ શકશો. અમને આશા છે કે આ સાંસ્કૃતિક યાત્રા તમને જરૂર પસંદ આવશે.
જો તમને આ વિડીઓ ગમે તો તેને Like કરજો અને તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહિ. શાળાની વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને Subscribe કરો.
✨ "ધરોહર" - વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ૨૦૨૬ | નવચેતન વિદ્યાલય | "DHAROHAR" - Annual Function 2026 નમસ્કાર મિત્રો! 🙏નવચેતન વિદ્યાલય અત્યંત ગર્વ અને આનંદ સાથે પ્રસ્તુત કરે છે અમારો ભવ્ય સાંસ્કૃતિક વાર્ષિકોત્સવ - "...
11/02/2026
તારીખ : 10/ 2 /2026
વાર : મંગળવાર
વિષય: અદાણી પોર્ટ ની મુલાકાત
તા. 10/02/2026 ના રોજ અમે સવારે 9:00 કલાકે અમારી શાળા નવચેતન વિદ્યાલય જુનાગામ માંથી નીકળી અદાણી પોર્ટની મુલાકાતે ગયા હતા. અમને નરેશભાઈએ PPT દ્વારા માર્ગદર્શન આપ્યું. સૌપ્રથમ અદાણી પોર્ટ ની શરૂઆત મુન્દ્રા માં થઈ હતી. એ સૌથી મોટું પોર્ટ છે. ભારતમાં કુલ 15 સ્થળો પર અદાણી પોર્ટ આવેલા છે. મુન્દ્રામાં 264mmt છે અને હજીરામાં 30mmt છે. હજીરા પોર્ટ પર 6 બર્થ છે. અને 6 બર્થ બનાવતા હતા. જ્યારે મુન્દ્રામાં 27 બર્થ છે અને બર્થ ને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યા હતા.1. ડ્રાય 2. લિક્વિડ 3. કન્ટેનર. પહેલે અને બીજો બર્થ ડ્રાય માટે હતો. જેમકે કોલસો. ત્રીજો અને ચોથુ બર્થ લિક્વિડ માટે છે. પાંચમો અને છઠ્ઠો બર્થ કન્ટેનર માટે છે. આવી ઘણી બધી માહિતી આપ્યા બાદ અમને જમવા માટે લઈ ગયા હતા. જમ્યા પછી અમને અદાણી પોર્ટની મુલાકાત માટે લઈ ગયા હતા. ત્યાં અમે ઘણી બધી પાઇપલાઇન જોઈ અને ત્યાં 22 પાઈપ લાઈન હતી. ત્યારબાદ અમને જહાજો જોવા લઈ ગયા ત્યાં અમે ડેમરેજ બોટ જોઈ જે ટ્રેઝર નું કામ કરતું હતું. ડેમરેજ એ પાણીનો સંતુલન જાળવી રાખી ત્યાં નો ડ્રાફ્ટ 14 મીટર હોવાથી પાણીનું સંતુલન જાળવી રાખવું પડે છે ત્યાં નાની મોટી અલગ અલગ સર્વેબોટ હતી. ત્યાં સાત ડકબોટ હતી ડોક બોટ એ મોટી બોટને આયાત નિકાસ માટે મદદ કરે છે ત્યારબાદ અમને કન્ટેનર કેવી રીતે લઈ જાય અને કેવી રીતે બોટમાં મૂકે તે બતાવ્યું આવી રીતે જ અમે બધું જોતા જોતા બહાર આવી ગયા. ત્યારબાદ અમે બધા છૂટા પડી સ્કૂલ આવવા માટે રવાના થયા. અદાણી પોર્ટમાં સૌને ખૂબ શીખવાનું મળ્યું જોવા મળ્યું તેથી વિદ્યાર્થીઓ પણ ખુબ ખુશ થઈ ગયા સૌને ખૂબ મજા આવી.
11/02/2026
✨ બોર્ડની પરીક્ષા તરફ એક મક્કમ ડગલું! ✨
આજે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને તેમના વાલીની હાજરીમાં પ્રિલિમ પરીક્ષાની ઉત્તરવહીઓ બતાવવામાં આવી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તેમની ભૂલો સમજાવવામાં આવી અને બોર્ડની પરીક્ષામાં વધુ સારું પ્રદર્શન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સહકાર બદલ તમામ વાલીશ્રીઓનો આભાર. 🙏
'ઇન્સ્પાયર એવોર્ડ 2025-26' માં જૂનાગામની નવચેતન વિદ્યાલયની વિદ્યાર્થીની શિવાંગી આહિર દ્વારા બનાવવામાં આવેલ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનમાં સુરતનું પ્રતિનિધિત્વ કરશે.".
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Address
Surat
394510
Opening Hours
| Monday | 7am - 1pm |
| Tuesday | 7am - 1pm |
| Wednesday | 7am - 1pm |
| Thursday | 7am - 1pm |
| Friday | 7am - 1pm |
| Saturday | 7am - 11:30am |