23/05/2026
તારીખ 2/5/'26 ને શનિવારના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના ગ્રંથપાલ શ્રી વંદનાબેન મહેતા વયનિવૃત થતા ભાવભર્યો વિદાય સમારોહ યોજાયો હતો. સમગ્ર ટ્રસ્ટીમંડળ અને શાળા પરિવારે શ્રી વંદનાબેન મહેતાને તેમના સ્વસ્થ, શાંતિપૂર્ણ અને સમૃદ્ધિમય દીર્ઘાયુષ્યની શુભેચ્છા પાઠવી હતી.
29/04/2026
3D Designing and Printing Workshop at Atal Tinkering Lab in Shri G. T. Sheth Vidyalaya
Atal Innovation Mission
NITI Aayog
21/04/2026
તારીખ 21/04/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયમાં પરમ પૂજ્યશ્રી ડૉ. સુશીલાબેન શેઠની પુણ્યતિથિ નિમિત્તે શાળા પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડો. ભાવેશભાઈ દવેએ વિદ્યાર્થીઓને પૂજ્ય બહેનશ્રીના સત્ય, સેવા અને સાદગી જેવા આદર્શો સમજાવી તેમણે જીવનપર્યંત અવિરત કરેલ સેવાકાર્યોથી વિદ્યાર્થીઓને અવગત કરાવેલ. સમગ્ર શાળા પરિવારે તેમના આ શ્રેષ્ઠ જીવનમૂલ્યોમાંથી પ્રેરણા લઇ, રાષ્ટ્રભાવ સાથે સમાજની સેવા કરવાનો સંકલ્પ કરી, શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.
10/04/2026
તારીખ 1/4/'26 ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલના કે. જી. વિભાગ દ્વારા વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં સુંદર પ્રદર્શન આપનાર ભુલકાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવેલ. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી રેણુબેન મહેતા પધારેલ હતા. શ્રી રેણુબેન મહેતા અને આચાર્યા શ્રી વર્ષાબેન દ્વિવેદીએ ભુલકાઓને પ્રગતિ માટે પ્રેરક ઉદ્દબોધન આપી તેમની સાથે હળવી પળો માણેલ.
08/04/2026
શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયમાં કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવા માટે "વિજ્ઞાન જ્યોતિ(Empowering Girls in STEM)"નામનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે અંતર્ગત વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓને માસિક શિષ્યવૃત્તિ મળી રહે છે. આ અન્વયે તારીખ 28/3/'26ના રોજ JEE અને NEETનાં સંદર્ભ પુસ્તકોનો સેટ વિદ્યાર્થીનીઓને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવેલ હતો. આ પ્રોજેક્ટ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, રાજકોટના સહયોગથી ચાલી રહ્યો છે. આ સંદર્ભ પુસ્તકોના સદ્ઉપયોગ માટે શાળાના આચાર્ય ડૉ.ભાવેશભાઈ દવે, શ્રી સતિષભાઈ તેરૈયા અને કો-ઓર્ડીનેટર શ્રી પ્રતિભાબેનએ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરેલ હતા.
08/04/2026
શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ માટે Human Papillomavirus(HPV) Vaccination અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરીને HPV વેક્સિન અંગે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય કેન્દ્રના ડૉ. મિહિરસર તેમજ આચાર્ય શ્રી સતિષભાઈ તેરૈયા આ સેમિનારમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને HPV વેક્સિન અંગે માહિતગાર કર્યા હતા. આ સાથે શ્રી જી. ટી. શેઠ વિદ્યાલય ખાતે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જુદા જુદા તજજ્ઞના વ્યાખ્યાન પણ યોજવામાં આવેલ હતા.
08/04/2026
શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયનાં ભુલકાઓમાં આધ્યાત્મિક ચેતના વિકસે તે હેતુસર ઉત્સાહ ઉમંગ અને ભક્તિભાવ સાથે વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી.
06/04/2026
શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના Scout&Guideના વિદ્યાર્થીઓએ રાજય પુરષ્કાર મેળવ્યો. શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના Scout&Guideના વિદ્યાર્થીઓએ રાજ્ય પુરસ્કાર માટેની પરીક્ષા આપેલી, તેમાં વિદ્યાર્થીઓએ સુંદર પ્રદર્શન કરીને રાજ્ય પુરસ્કાર પરીક્ષા ઉત્તીર્ણ કરેલ. ઉતીર્ણ થયેલ આ તમામ વિદ્યાર્થીઓને તારીખ 13/03/'26 તેમજ તારીખ 14/03/'26 દરમિયાન GUJARAT STATE BHARAT SCOUT AND GUIDE RAJYA PURSKAR AWARD સમારંભ,ગાંધીનગર ખાતે આમંત્રણ પ્રાપ્ત થયેલ તેમજ ગાંધીનગર રાજભવનમાં માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજ્ય પુરસ્કાર - પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ૧૭ જેટલા જિલ્લાઓ જોડાયેલ હતા.
આ સમારંભ સાથે વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતેના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને ત્રિમંદિરની મુલાકાત પણ લીધી હતી. શ્રી જી. ટી. શેઠ પરિવારે Scout&Guideના વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક આચાર્યાશ્રી વર્ષાબેન દ્વિવેદિને રાજ્યપુરષ્કારમાં સુંદર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
27/03/2026
તારીખ 26/3/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના સમગ્ર શાળા પરિવારે સંસ્થાના માનદ્દ મંત્રીશ્રી અને ગુજરાતના ખ્યાતનામ આજીવન સમાજસેવક એવા પૂજ્યશ્રી ડૉ. સુશીલાબેન શેઠની જન્મ જયંતી ઉજવી. આ પ્રસંગે શાળા પરિવારે પ્રાર્થના સભાનું આયોજન કરેલ અને પૂજ્ય બહેનશ્રીના સત્ય, સેવા અને સાદગી જેવા મૂલ્યો આત્મસાત કરીને રાષ્ટ્રભાવ સાથે સમાજની સેવા કરવાનો સંકલ્પ કરીને ભાવાંજલિ અર્પી હતી.
24/03/2026
તારીખ 10/3/'26ના રોજ શ્રી જી. ટી. શેઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક પ્રવાસમાં ગયેલ હતા. સરકારશ્રીની યોજના મુજબ આ પ્રવાસ નિઃશુલ્ક હતો, જેમાં 157 વિદ્યાર્થીઓએ લાભ લીધેલ હતો. આ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્થળોની મુલાકાત લીધેલ હતી.
**આજીડેમ - ડેમની રચના જાણવા અને પ્રકૃતિને માણવાનો હેતુ
** રાજકોટ - ITI - જુદા જુદા વ્યવસાયિક અભ્યાસક્રમ વિશે પ્રત્યક્ષ માહિતી મેળવવાનો હેતુ
** સુરજદેવળ - ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્યની જાણકારી મેળવવાનો હેતુ
** ઝરીયા મહાદેવ - આધ્યાત્મ અને પ્રકૃતિનો પરિચય મેળવવાનો હેતુ
** થાન - પોટરી ઉદ્યોગનો પ્રત્યક્ષ પરિચય મેળવવાનો હેતુ
** તરણેતર - ત્રિનેત્રેશ્વર મહાદેવ - પ્રાચીન સ્થાપત્ય, ઇતિહાસ જાણવાનો હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસને અસરકારક બનાવવા અને માર્ગદર્શન માટે જુદા જુદા વિષયના શિક્ષકો પણ પ્રવાસમાં જોડાયા હતા. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે જુદા જુદા વિષયોની ઘણી ઉપયોગી માહિતી મેળવી અને સંઘભાવના વિકસાવવા પ્રયત્ન કર્યો હતો.