08/09/2025
. 8 સપ્ટેમ્બર, 2025
સ્થળ : શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.
આ અવસરે આજે શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ દાહોદ ખાતે શિક્ષક દિવસની ઉજવણી યોજાઈ હતી. કાર્યક્રમનું આયોજન શીતલબેન બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. પછી મહેમાનોએ દીપ પ્રજ્વલન કરી શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવી. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, કાવ્યો તથા વક્તવ્યોથી શિક્ષકો પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી.,ઘણાખરા વિદ્યાર્થીઓ એ જુદા-જુદા વિષયો ના લેકચરો લઇને એક શિક્ષક તરીકે નો અનુભવ લીધો હતો અને પોતાની કલાત્મક પ્રતિભાનું નિર્દર્શન કર્યું હતું
આ પ્રસંગે વરિષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા તથા તેમના શૈક્ષણિક યોગદાનને યાદ કરવામાં આવ્યું. મુખ્ય વક્તાઓએ શિક્ષકો સમાજના સાચા દિશાદર્શક હોવાનું જણાવતાં વિદ્યાર્થીઓને સંસ્કાર, જ્ઞાન તથા પ્રગતિના માર્ગ પર આગળ વધવા માટે શિક્ષકોનું માર્ગદર્શન અમૂલ્ય હોવાનું કહ્યું.
અંતે કાર્યક્રમનો સમાપન આભારવિધિ સાથે થયો.