21/02/2026
*પીપલ્સ એજ્યુકેશન સોસાયટી* દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવેલ હતો *જે અનિવાર્ય સંજોગોને કારણે મોકૂફ રાખવામાં આવેલ છે* તે બદલ અમોદિલગીર છીએ અને આ જ કાર્યક્રમ આગામી સમયમાં યોજાશે તેનો સમય, સ્થળ અને તારીખ આપને જણાવવામાં આવશે.
17/02/2026
*માર્ગદર્શન સેમિનાર*
People's Education Society દ્વારા અમરાઈવાડી વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને પરીક્ષાની તૈયારી અંગે જરૂરી માગદર્શન ના કાર્યક્રમ નું આયોજન કરેલ છે તો સર્વે વિધાર્થીઓને આ કાર્યક્રમ માં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
સ્થળ :- જોગેશ્વરી વાડી,જોગણી માતા ના મંદિર પાસે,અમરાઈવાડી
તારીખ :- ૨૨/૨/૨૬
સમય :- સાંજે ૪:૦૦ થી ૬:૦૦
30/04/2025
PEOPL’S_EDUCATION_SOCIETY દ્વારા વર્ષ ૨૦૧૨ થી ચલાવવામાં આવતા નિ:શુલ્ક કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરીને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર માં સરકારી નોકરી મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ આ સેવાકાર્યમાં નિ: શુલ્ક સેવા આપનાર શિક્ષકગણ ને સન્માનિત કરવાનો કાર્યક્રમ તા ૨૬/૪/૨૫ ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી ઓડીટોરિયમ, વસ્ત્રાલ ખાતે યોજવામાં આવ્યો જેમાં સામાજિક અગ્રણીઓ શ્રી કિશોરભાઈ મકવાણા(ચેરમેન, રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગ) , શ્રી દિનેશભાઈ મકવાણા(સાંસદ,અમદાવાદ પશ્ચિમ), શ્રી દિપકભાઈ ઝાલા(એડિશનલ કમિશનર IRS) તથા શ્રી ભરતભાઈ રાઠોડ (ડીસીપી ઝોન ૨,અમદાવાદ) ને PEOPL’S_EDUCATION_SOCIETY દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
તદુપરાંત UPSC ની પરીક્ષા પાસ કરી સમાજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમ માં સન્માનિત કરવામાં આવ્યા. તમામ સમાજ ના આમંત્રિત મહાનુભાવો એ PEOPL’S_EDUCATION_SOCIETY દ્વારા આયોજિત સન્માન સમારોહ માં સમાજના મહત્વાકાંક્ષી યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું.